SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૬ કલિકાલસર્વજ્ઞ લાટ, સૌરાષ્ટ્ર, ભંભેરી, કચ્છ, સેંધવ, મારવાડ, મેવાડ, માળવા, આભીર, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કોંકણ જેવા પ્રદેશો પર દિગ્વવિજયો મેળવી ગુજરાતનું એકચક્રી શાસન સ્થાપવું હતું, એવા અઢારથી પણ વધુ પ્રદેશોમાં જૈનશાસન સ્થાપવાનું હતું. ઉદયન દોરી-લોટા સાથે આ ભવ્ય સ્વપ્ન પણ એના હૈયાની જોળીમાં લઈને આવ્યો હતો. દેવચન્દ્રસૂરિના અપાસરામાં એક નાનકડા જાજવલ્યમાન પ્રતિભાવંત બાળકને – સૂરિજીને પ્રશ્નો કરતો જોઈ - ગુરુદેવના આસને બેસી એની જ ઉંમરના બાળારાજા સિદ્ધરાજને રાજનીતિ અને ઉપદેશના પાઠો ભણાવતો જોઈ – ઉદયનને એ બાળકમાં જૈનધર્મના આવતીકાલના મહાન ઉધ્ધારકનાં દર્શન થયાં હતાં. એ બાળક ચાંગ - આજે ગુજરાતની વિરલ વિભૂતિ આચાર્ય હેમચન્દ્રસૂરિ – ગુજરાતના જૈનધર્મના સાચા ધર્મધુરંધર બની... માનવજાતને અહિંસા, સત્ય, અપરિગ્રહના પાઠો ભણાવી - એક આદર્શ – ધર્મપરાયણ સમાજનું નિર્માણ કરી રહ્યા હતા. જે સમાજ જૈનધર્મના પાયાના પથ્થરો પર ખડો હોય. ઉદયન મંત્રી અસ્તવ્યસ્ત હતા. નવરાત્રીના દિવસોમાં હેમચન્દ્રાચાર્યજીની કુશાગ્ર બુદ્ધિ અને વાકપટુતાએ હવનાષ્ટમીની પશુહિંસા અટકાવી હતી. આજે મનિષેધના કાયદાનો છડેચોક ભંગ કરી – વૈભવી આશ્રમમાંથી શરાબની નદીઓ વહાવવાની તૈયારી કરી રહેલા આચાર્ય દેવબોધને કેમ રોકવા – યોગ્ય પંથે કેમ વાળવા એની ઉલઝન આનકની વાત સાંભળી કુમારપાળના હૈયાને મૂંઝવી રહી હતી. આનક... આપણે સૂરિજીના અપાસરા તરફ પ્રયાણ આદરીએ...” હા મહારાજ, કલિકાલસર્વજ્ઞ કંઈક રસ્તો કાઢશે. કદાચ મંત્રીશ્વર પણ આપણને ત્યાં મળી જાય. આનક બોલ્યો. અને વહેલી સવારે આનકે અપાસરાની ડેલી ખખડાવી. - “અરે ગુજરેશ્વર આપ... આનકરાજ તમે પણ આવ્યા છોને... શું વાત છે ?” હેમચન્દ્રાચાર્યજીએ વહેલી સવારના મહેમાનોનું સ્વાગત કરતાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy