SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ કલિકાલસર્વજ્ઞ ખડગ સાથે વીરહાકથી રણમેદાન ગજાવતા શૌર્યમૂર્તિ કુમારપાળ ખભે ખલતો ભેરવી ગોચરી વહોરાવવા હવે નીકળવાના.” “રૂદ્રસિવિત્તની પ્રણાલિકા – એક જૈન સાધુની સલાહથી રદ કરી વર્ષની બોંતેરલક્ષ દ્રમની આવક જતી કરી – રાજ્યના અર્થતંત્રને ખોખરું કરનારા ગુજરશ્વરે – આ ધનનો પર્યાય કાંઈ શોધ્યો છે ખરો ?” પ્રજામાંથી પ્રશ્નો ઊઠવા માંડ્યા હતા.... મંત્રીઓ, પ્રજાજનો, શૈવપંથી આચાર્યો અને મંત્રીઓ સુધ્ધાં કુમારપાળના એક એક પગલાં સામે કચવાટ અનુભવતા હતા. આનક જેવા આનકે – રસ્તામાં જ રાજ્યની પરિસ્થિતિનો – પ્રજાના માનસનો ચિતાર આપતા કહ્યું હતું.' મહારાજ. સંસ્કૃતમાં એક શ્લોક છે.' 'यद्यपि सिध्ध लोक विरूद्धम् । ना करणीयम् नाचरणीयम् ॥ મહારાજ લોકોની એષણા, વિચાર અને પરંપરાગત વ્યવહાર વિરુદ્ધ કાંઈ પણ આચરણ ના કરો. આચાર્ય દેવબોધ એના વૈભવ અને જાહોજલાલીના જોરે... પ્રજામત ફેરવવા પાટણ આવ્યો છે. ભવાની રાશિ જેવા શક્તિશાળી દેવીભક્ત – કંટેશ્વરીના મહંતને “પશુભોગ ધરાવતો અટકાવી તમે હિંદુ દેવીભક્તો અને શૈવપંથીઓનો ખોફ વહોરી લીધો છે. આચાર્ય દેવબોધ રાજ્ય વિરુદ્ધ જનમત ઊભો કરવા પાટણના મહાલયો, ઘરોની ભીંતો, અને કેટેશ્વરી તેમ જ અન્ય મંદિરો, શિવાલયો પર પ્રજાને ભડકાવવા આહ્વાહન પત્રો મૂકવા માંડ્યા છે.” આનકે નગરચર્ચા માટે નીકળેલા ગુજરશ્વરને પ્રજાના માનસનો ચિતાર આપતાં કહ્યું. - કુમારપાળ વિચારમાં પડી ગયો. એનો દયાધર્મ – માનવધર્મ યુગોથી એક જ ઢાંચામાં – પરંપરામાં અંધશ્રદ્ધામાં જીવતી પ્રજાને માટે અસહ્ય – અસંબદ્ધ લાગ્યો હતો. ક્ષત્રિયોને એના શૌર્ય પર છીણી મુકાતી લાગી – વૈશ્યોને તળિયાઝાટક થનારા ધનકોષની ચિંતા થવા માંડી, ખોખલા થઈ ગયેલા કર્મકાંડ અને દેવદેવીઓને ચઢાવતા પશુ ભોગોને ધમકી, અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy