________________
કલિકાલસર્વજ્ઞ
૧૫૧
બરોબર, બાપુ મંદિરમાં પુરાયેલા પશુઓ બધાં સલામત છે. ત્રિલોચનપાલ બોલ્યો.
ભવાનીરાશિજી.. તમારી વાત સાવ સાચી નીકળી. આપે કહ્યું હતું તેમ માતાજી તો ભાવનાનાં ભૂખ્યાં છે. આખી રાત મંદિરમાં રહેલાં પશુઓના હૃદયના ભાવનું – પ્રેમનું ભોજન કરી લીધું... હેમચન્દ્રાચાર્યે ભોગ” ને “ભાવમાં આખી વાતને પલટી નાંખતા કહ્યું અને ત્રિલોચનપાલ સામે જોતાં કહ્યું.
- દુર્ગપાલજી, દ્વાર ખોલી નાંખો... અને તમામ જીવોને મુક્ત કરો.... માતાજીની અનહદ કૃપા આ મૂંગા જીવો પર એવી તો વરસી કે.. જુઓ મહારાજ તમારા ચરણોમાં દોડતાં કૂદતા આવીને કેવાં વીંટળાઈ વળ્યાં
મંદિરનાં દ્વાર ખૂલતાં જ હતાં, રમતાં બકરાઓ બેં..મેં... બેં....નો આનંદ પોકાર કરતાં... હેમચન્દ્રાચાર્ય, કુમારપાળ, ભવાનીરાશિ, ઉદયન મંત્રી ઈત્યાદિને વીંટળાઈ પડ્યાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org