SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ કલિકાલસર્વજ્ઞ હા... પણ તાળામંગળ કરવાની શી જરૂર ?' જરૂર છે. ભવાનીજી... માતાજીની શાંતિમાં ખલેલ ન પડે...' ગુરુદેવ મારે પણ માતાજીના દર્શન કરવા જ છે. મંત્રીશ્વર મંદિરના પરિસરમાં બધા જ પશુઓને લાવી, માતાજી સન્મુખ ધરી મંદિરને તાળાં મંગળ કરી દ્યો... અને ત્રિલોચનપાલજી તમારે તમારા બીજા ત્રણ સૈનિકો સાથે આખી રાત પહેરો કરવાનો છે. આપણે સૌ યથાસ્થાને પહોંચી વહેલી સવારે માતાજીના દર્શને આવીશું.” કુમારપાળે હુકમ છોડવાના શરૂ કર્યા. ભવાનીરાશિના ચહેરા પર અકળામણ વધી રહી હતી. બીજે દિવસે વહેલી સવારે કટેશ્વરી મંદિરના પ્રાંગણમાં કુતૂહલપૂર્ણ વાતાવરણ જામ્યું હતું. પટ્ટણીઓ મંદિરના પરિસરમાં ઊતરી પડ્યા હતા. કુમારપાળ, ઉદયન મંત્રી, આચાર્ય દેવબોધ, ભાવબૃહસ્પતિ, હેમચન્દ્રાચાર્ય ઈત્યાદિ મંદિરમાં પહોંચી ગયા હતા. ત્રિલોચનપાલજી....” કુમારપાળ દુર્ગપાલને બોલાવ્યા. “આજ્ઞા મહારાજ.' ત્રિલોચનપાલ બોલ્યા. આખી રાતનો પહેરો બરોબર હતો ? મહારાજ આંખનું મટકુ પણ મેં કે મારા સૈનિકોએ માર્યું નથી.” રાત્રે અહીં મંદિરમાં કોઈ આવ્યું હતું? માતાજીના પગનાં ઝાંઝરનો અવાજ સંભળાયો હતો ? ના મહારાજ, મંદિરના દ્વારેને ખંભાતી તાળાં મારવામાં આવ્યાં હતાં. દેવી કટેશ્વરી તો પધાર્યા હશે ને? એના પાયલનો રણકાર સંભળાયો હતો ? હેમચન્દ્રાચાર્યે પૂછ્યું. - “સૂરિશ્વર દેવીના પાયલનો નહીં, પણ અંદર પુરાયેલાં અકળાયેલાં પશુઓનો આર્તનાદ સંભળાતા હતા. આખી રાત ચોકીપહેરો ચાલુ જ હતો.” એનો અર્થ એ કે મંદિરમાં કોઈ આવ્યું નથી કે નથી કોઈ બહાર ગયું ?” કુમારપાળે પૂછ્યું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy