________________
કલિકાલસર્વજ્ઞ
૧૪૯
ખરેખર... ભવાનીજી સ્વય માતાજી આજની રાત્રે પધારવાનાં છે ?” હેમચન્દ્રાચાર્યે ભવાનીરાશિ સામે જોતાં પૂછ્યું.
હા... હા.... સૂરિશ્વર, ગઈ કાલે રાત્રે દેવી કંટેશ્વરીએ સપનામાં આવી મને આજ્ઞા કરી'તી ને...
“શું આજ્ઞા કરી હતી ?” હેમચન્દ્રાચાર્યે પૂછ્યું.
હવન અષ્ટમીની રાત્રે હું મંદિરમાં આવી મારો ભોગ સ્વયં આરોગીશ...' ભવાનીરાશિ બોલ્યા.
“દુનિયાનો કોઈ દેવ કે દેવી એનાં સંતાનોનો માણસ, પશુ કે પંખીની હત્યાથી રાજી થાય ખરો? મહંતશ્રી... તમારી સ્વપ્નની વાતમાં મને વિશ્વાસ નથી.” કુમારપાળે કહ્યું.
મહારાજ, ભવાની રાશિ માતાજીના પરમભક્ત છે. એની માતાજી પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને સેવા અજોડ છે. એમના પર માતાજીની કૃપા ઊતરી છે... બરોબરને ભવાનીરાશિજી...”
હેમચન્દ્રાચાર્યજી... આ બધામાં તમે એક એવા સંત છો કે જે ધર્મની ભાવના, માતાજીની કૃપા અને અમારા જેવા ભક્તોની સેવા અને શ્રદ્ધાને સમજી શકો...”
કુમારપાળના આશ્ચર્યનો પાર ન રહ્યો. ગુરુદેવે ભવાનીરાશિની વાત સાચી માની લીધી.
“ભવાની રાશિ ... આજે આપણે આંગણે માતાજી પધારવાનાં છે. તો એક સૂચન કરું ?
જરૂર તમારા માર્ગદર્શનની આમેય જરૂર છે.'
મહારાજ, આજની રાત્રે આ બધાં જ પશુઓને માતાજીને શરણે મૂકી બહારથી મંદિરનાં બારણાં બંધ કરી તાળાં મરાવી, આપણા ત્રિલોચનપાલ દુર્ગપાલના સૈનિકોનો પહેરો લગાવી માતાજીને નિરાંતે
સ્વયભૂ ભોગ આરોગવા દઈએ, કેમ મહંતશ્રી વાત બરોબર છે ને ? હેમચન્દ્રાચાર્યે કહ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org