________________
૧૪૮
કલિકાલસર્વજ્ઞ
‘હવનઅષ્ટમી'ના દિવસે હવનમાં દેવીને ધરાતો ભોગ એ જીવહિંસા નથી.. એ તો બલિદાન છે. દેવી માતાને બલિ ચઢાવવાની પ્રથા તો વૈદિક યુગથી ચાલી આવી છે...' આચાર્ય દેવબોધ બોલ્યા.
મહારાજ ક્ષમા કરજો.’ ‘અમાર’ ઘોષણા થઈ ચૂકી છે.’ એની અમને જાણ છે....' ભવાનીરાશિએ કહ્યું.
તેમ છતાં તમે જીવહિંસા કરવા કેમ તૈયાર થયા છો મહંતશ્રી ?”
‘મહારાજ, આ ધર્મપરંપારા યુગોથી ચાલી રહી છે. શાસ્ત્રોમાં પણ આજ્ઞા થઈ છે. આ ધર્મપરંપરા લોપવાથી માતાજી રૂઠશે તો ગુર્જરપ્રદેશ પર ભારે અનર્થ થઈ જશે... અકાલ, અનાવૃષ્ટિ, ભૂકંપ, તેમ જ હિંસાનો વંટોળ આપણી વહાલી ભોમકા પર ફરી વળશે..... ભવાનીરાશિએ પરિણામોની આગાહી કરતાં કહ્યું.
મહંતશ્રી આચાર્ય શ્રી... ‘અમારિ ઘોષણા'ના કારણે ખૂણામાં ભયથી થરથર ધ્રૂજતાં પશુઓની હત્યા – ભોગના નામે કે બલિદાનના નામે નહીં થાય...' ઉદયન મંત્રીએ આખરી નિર્ણય જાહેર કરતાં કહ્યું,
હેમચન્દ્રાચાર્ય એ જ સમયે એમના શિષ્ય રામચન્દ્રસૂરિ સાથે મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કર્યો. ભવાનીરાશિ હેમચન્દ્રાચાર્યજીને આવકારવા દોડી ગયા.
પધારો કલિકાલસર્વજ્ઞ આપની જ રાહ હતી... ' ભવાનીરાશિ
બોલ્યા.
શી વાત છે... ભવાનીજી.. હવનમાં નારિયેળ પધરાવવાનો સમય થઈ ગયો કે શું ?” હેમચન્દ્રાચાર્યે પૂછ્યું.
મહારાજ, આપ યોગ્ય સમયે જ પધાર્યા છો....
યોગ્ય સમયે ”
મહારાજ, હવનઅષ્ટમીની રાત્રે સ્વયં માતા કંટેશ્વરી પધારીને પશુભોગ સ્વહસ્તે સ્વીકારશે. આ બધાં પશુઓનો ભોગ માતાજી સ્વીકારશે ત્યારે સૂરિશ્વર ધરતી પર આનંદમંગલ છવાઈ જશે.' ભવાનીરાશિ બોલ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org