SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કલિકાલસર્વજ્ઞ આવ્યા પછી આખાય કાર્યનો પ્રારંભ થશે, હું આવું ત્યાં સુધી મંત્રીશ્વર તમે પરિસ્થિતિ સંભાળી લેશો. * ગુર્જરેશ્વર કુમારપાળના જયઘોષથી વાતાવરણ ગાજી ઊઠ્યું. કંટેશ્વરી દેવીના વિશાળ ચોગાનમાં કલહનન હાથી આવીને ઊભો. મહાવત અજ્યમલે હાથીને બેસાડ્યો એટલે મહારાજ મહારાણી સાથે નીચે ઊતર્યાં. મહારાજનો જય હો.... મહારાણી ભોપલદેવીનો જય હો.... ચૌલુક્યવંશી પ્રતાપી રાજવંશીઓનું કુળદેવી સ્વાગત કરે છે... મહારાજ આ બાજુ પધારો...' ભવાનીરાશિએ મંદિરના ગર્ભદ્વાર તરફ બન્નેને દોરી જતાં કહ્યું. કુમારપાળ ચોગાનના એક ખૂણા તરફ નજર નાંખતા છળી ઊઠ્યો. ખૂણામાં થોડાક બકરાઓ .............'નો આર્તનાદ કરતાં ઊભા હતા. ઉદયન મંત્રી પણ ભવાનીરાશિની જીદ પર ક્રોધથી કંપી ઊઠ્યો. મંત્રીશ્વર... સામેના ખૂણામાં તો મહંતશ્રીએ પશુઓને કેમ એકત્રિત કર્યાં છે ?” અજાણપણાનો ભાવ વ્યક્ત કરતાં કુમારપાળે પૂછ્યું. મહારાજ, નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે, આ લોકો આજે યજ્ઞ કરી...' કહેતાં ઉદયન મંત્રી અટકી જાય છે. મહારાજ મંત્રીશ્વર બોલી નહીં શકે... આજે હવનઅષ્ટમી છે... નવરાત્રીનો આઠમો દિવસ. આજે કંટેશ્વરીદેવીને પશુનો ભોગ ધરાવવાનો હોય છે.... આ એક યુગથી ચાલતી આવતી પરંપરા છે. યજ્ઞનો આરંભ થઈ ચૂક્યો છે.' ગુર્જરેશ્વર ભવાનીરાશિ મંદિરના ગર્ભદ્વારમાં પ્રવેશતા બોલ્યા. - ‘ભવાનીરાશિ.....' કુમારપાળથી રહેવાયું નહીં – એ લગભગ ત્રાડ પાડી ઊઠ્યો, ઉદયન મંત્રી પણ ધ્રૂજી ઊઠ્યા – હેમચન્દ્રાચાર્યજી હજી આવ્યા નહોતા. શરૂઆત સારી નહોતી થઈ. મહંત અને રાજા વચ્ચે ચકમક ઝરવાની શરૂઆત થાય એ પહેલાં એણે ચર્ચામાં ઝંપલાવ્યું. ભવાનીરાશિજી..... આપ શું કરી રહ્યા છો... પશુવધ – જીવહિંસા ? For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa' International
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy