________________
કિલિકાલસર્વજ્ઞ
૧૩૭
છે.' શિવજી બોલ્યા.
ભોળાનાથ, એવો કોઈ ઉપાય ખરો કે એનો પતિ પાછો આ દુઃખી બાઈને માણસરૂપે મળે ?”
“હા... આ જ ખેતરમાં એવી ઔષધી છે કે જો એ બળદને ખવડાવવામાં આવે તો આ બળદ પતિ – મનુષ્ય થઈ જાય.'
પત્નીના કાને આ દેવવાણી ઝીલી લીધી અને ખેતરમાં ઊગેલું બધું જ ઘાસ-બળદ પતિને ખવરાવી દીધું અને ઘાસ ભેગી ઔષધિ પણ ખવાઈ જતાં બળદ પતિ – મનુષ્યરૂપે – એની પત્નીને મળી ગયો.
મહારાજ કથાની પૂર્ણાહુતિ કરતાં હેમચન્દ્રાચાર્યું કે આ વાર્તાનું અર્થઘટન કર્યું છે એ અર્થઘટન જ હેમચન્દ્રાચાર્યને ઈતર સાધુઓ - સૂરિઓ - આચાર્યોથી “સ્વધર્મ સમભાવના સાધુ સ્વરૂપે મૂકી ઊંચેરા મૂકી દે છે.
મહારાજ, કયો ધર્મ સાચો કે ક્યા ધર્મમાં સત્યનું રહસ્ય - સત્ત્વ રહ્યાં છે - એ કહેવું અઘરું છે, પરંતુ બધા જ ધર્મોનો અભ્યાસ કરતાં – બધા જ ધર્મોની પરીક્ષા કરતાં ક્યારેક સત્યધર્મ હાથ લાગી જાય... પેલી સ્ત્રીની જેમ સત્યધર્મ – માનવીએ પોતાના માયલા માટે શોધવો જ રહ્યો.”
હેમચન્દ્રાચાર્યના શિષ્ય રાજર્ષિ કુમારપાળે યોગશાસ્ત્રનો ખાસ અભ્યાસ એના ગુરુ પાસે કર્યો હતો. એટલું જ નહીં પણ ગુરુ પાસે યોગશાસ્ત્ર' પર જનતાના લાભાર્થે ગ્રંથ પણ લખાવ્યો હતો. કુમારપાળ યોગશાસ્ત્રના અભ્યાસ પછી મન, વાણી અને કર્મની આત્મશુદ્ધિ પર નિર્ભર હતા અને એના કારણે જ જીવનનું સાર્થકની શોધમાં નીકળેલો જિજ્ઞાસુ શિષ્ય ગુરુના ચરણમાં આવી પ્રશ્ન કરી બેઠો હતો. “જીવનની સાર્થકતા શેમાંનો – જીવનની સિદ્ધિ શામાંનો – હેમચન્દ્રાચાર્યે પ્રત્યુત્તર વાળતાં જ્ઞાન, દર્શન અને ચરિત્રની રત્નમયીનો ઉપદેશ કુમારપાળને આપતાં ફરી એ જ સર્વધર્મ સમભાવ' તરફનો એનો અભિગમ દર્શાવતાં કહ્યું.
મન, વાણી અને કર્મ જીવનમાં અપનાવ્યા વિના, કોઈ પણ માણસ પોતાને કોઈ પણ ધર્મના અનુયાયી કહી શકે નહીં. રાજાનો ધર્મ પ્રાણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org