________________
૧૩૪
નયન્મુત્યું પૂર્વે રઘુહુષના ભાર ભરત । પ્રઉત્યર્વી નાયૈઃ કૃતયુગકૃતોત્પત્તિ ભિરપિ | વિમુંચન સંતોષાત્તદપિ રૂતીવિત્તમ્ ધુના કુમારÆાપાલ ત્વમસિ મહતાં મસ્તક મણિ ||’ હે કુમારપાળ પૂર્વે કૃતયુગમાં થઈ ગયેલા રઘુ, નહુષ નાભાગ ભરત વગેરે જેવા માંધાતા રાજાઓ એ પણ જે વિચારને ક્યારેય અમલમાં મૂક્યો નહોતો એ તે રૂત્તિવિત્ત (પતિ પુત્ર વિનાની રડતી નિર્વંશ સ્ત્રીઓનાં ધન) ને હાલ (કલિયુગમાં પણ) સંતોષથી છોડી દે તો તું મહાપુરુષોમાં પણ શિરોમણિ છે.
કલિકાલસર્વજ્ઞ
હેમચન્દ્રાચાર્યના આશીર્વચનનો પડઘો પાડતો ડિંડિમિકા ઘોષ એ દિવસે મધ્યાહે નગરના ખૂણે ખૂણે ગાજતો રહ્યો.
ગુર્જરદેશજનો..... સાંભળો..... સાંભળો... આજથી સમસ્ત ગુજરાત રાજ્યમાંથી ‘રૂત્તિવિત્ત”ને રાજભંડારમાં લાવવાની ગુર્જરેશ્વર કુમારપાળ મના કરે છે... સાંભળો.... સાંભળો.... ગુર્જરજો......
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org