________________
૧૩૨
કલિકાલસર્વજ્ઞ
ગુરુદેવ” ધીમા પગલે કુમારપાળ હેમચન્દ્રાચાર્યજીના ચરણ પાસે આવીને ઊભો રહ્યો.
પધારો મહારાજ હેમચન્દ્રાચાર્યે ગુર્જરેશ્વરને આવકાર્યા.
‘ગુરુદેવ. આજ મારું દિલ પરમ શાંતિ અનુભવી રહ્યું છે. પ્રજાનાં દુઃખ કાપવામાં હું આજે નિમિત્ત બન્યો છું. કુમારપાળે કહ્યું.
“ખૂબ જ સારી અને આનંદની વાત છે. મહારાજ. શા નિમિત્તે... નિમિત્ત બન્યા ગુર્જરેશ્વર... હું જાણું તો ખરો.” હસીને હેમચન્દ્રાચાર્યે પૂછ્યું.
મહારાજ, ગુર્જર દેશની પ્રજાના નિર્વશ થતા પરિવારનાં ધન, મિલકત, ક્રમ, અલંકાર, આભૂષણો કશું જ આજથી રાજ્યના ધનકોષમાં
ક્યારેય જમા નહીં થાય. “રૂત્તિવિત્ત' આજથી તમારા આ શિષ્યને – ગુજરાતને વજર્ય છે. કાળજું કકળાવવું એ પણ એક પ્રકારની હિંસા જ છે ને ? કુમારપાળે કહ્યું.
હેમચન્દ્રાચાર્યે કુમારપાળ પર સ્નેહભરી નજર નાંખી હૈયું આનંદથી છલકાઈ ગયું. રૂત્તિવિત્ત એક મહા ભયંકર – અમાનુષી વસ્તુ હતી. કુમારપાળનું વૈદિક યુગથી ચાલી આવતી પરંપારાને તોડવાનું, કુમારપાળનું એક ક્રાંતિકારક પગલું હતું. રાજ્યને કરોડો દ્રમની આવક “રૂતિવિજ્ઞ' દ્વારા થતી હતી.
રાજ્યનો કારભાર - પર રાષ્ટ્રો સાથેના યુદ્ધના ખર્ચા, પ્રજાકલ્યાણ માટેના કાર્યો – દર વર્ષે હજારો નિર્વશ મરી જતા પરિવારના મોભીઓના કારણે થતી ધન ઉપલબ્ધિમાંથી થતા હતા – પરંતુ મૃત્યુ પામેલી વ્યક્તિ પાછળના પરિવારની જે દશા હતી તે કોઈ પણ સાંસ્કૃત સમાજ માટે - રાજ્ય માટે શરમજનક હતી.
કુમારપાળ અપાસરા તરફ આવતા હતા ત્યાં રસ્તામાં જ આનક મળી ગયો.
“આનક... શ્રીધર પંચોલીને મારો હુકમ પહોંચાડ્યો ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org