________________
૧૭
રાતભરની મીઠી નીંદર માણી પણીઓ શૈયાત્યાગ કરી નિત્યકર્મથી પરવારી સૌ સૌના કામે ચડતા હતા, ત્યારે પાટણનગરીના અતિ ધનાઢ્ય એવા વિસ્તાર રતનપોળની મધ્યમાં શિલ્પ સ્થાપત્યની બેનમૂન કૃતિ સમા શ્રીધર પ્રાસાદના વિશાળ ઉદ્યાનમાં સારી એવી હલચલ મચી ગઈ હતી. રતનપોળના રસ્તા પર કુતૂહલ પ્રેરતી માનવમેદની જામી હતી.
ઉદ્યાનની મધ્યમાં આવેલા ફુવારા પાસે પચાસેક વર્ષનો બેઠીદડીનો શ્રીધર પંચોલી લાંબા હાથ કરતો મોટેથી લૂંટાઈ ગયો. મહારાજા કુમારપાળ મને રસ્તે રઝળતો કરી દીધો... આંખના પલકારે આસમાનમાંથી ધરતી પર લાવી દીધો...” - શ્રીધર પંચોલી દસેક વર્ષની ઉંમરે મારવાડથી દોરીલોટો લઈને એના મામા ગોપાલ અગ્રવાલ સાથે સિદ્ધરાજ જયસિંહના દેવોને પણ ઈર્ષા આવે – એવી અલકાપુરી સમી પાટણનગરીમાં એનું તકદીર અજમાવવા આવ્યો હતો. મામાની સોનાચાંદીની દુકાનમાં દસ વર્ષની ઉંમરે દુકાન ખોલવાથી માંડી, સાફ સફાઈ, પાણીનાં માટલાં ભરવાનાં કામો કરી ધંધામાં મન પરોવવાના કાર્યમાં દક્ષતા દેખાડી સત્તરેક વર્ષની નાની ઉંમરમાં જ શહેરનો જાણીતો વેપારી થઈ ગયો હતો. ધીરધારના ધંધામાં – કર ઉઘરાવવામાં અને રાજ્યનાં અનેક નાણાકીય કાર્યો કરી આપી વીસ વર્ષની ઉંમરમાં તો પાટણનો કોઢાધિપતિ બની ગયો હતો. મહાઅમાત્ય મુંજાલ, ઉદયન મંત્રી, કેશવ સેનાપતિ, કાન્હડદેવ તુરંગાધ્યક્ષ, ત્રિલોચનપાલ, દુર્ગપાલ, કાક ભટ્ટથી માંડી આચાર્ય દેવબોધ, ભવાનીરાશિ, સોમનાથના મહંત ભાવબૃહસ્પતિ તેમ જ સિદ્ધરાજના અંતઃપુર સુધી એની ઓળખાણ અને પહોંચી હતી. પાટણના એક પ્રતિભાશાળી શ્રેષ્ઠિ તરીકેની ગણના થતી હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org