SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ કલિકાલસર્વજ્ઞ દરિયાપારના બંદરેથી સમાચાર આવ્યા કે મારા પુત્ર કુબેરશ્રેષ્ઠિનાં વહાણ ભરદરિયે મારા દીકરા સાથે ડૂળ્યાં... અને પાટણમાં સમાચાર ફેલાઈ જતાં – રાજનો ઠેકેદાર શ્રીધર પંચોલી. એના સૈનિકો સાથે આવી બધું જ લૂંટી ગયો... અને રાજભંડારમાં જમા કરાવી અમને રસ્તે રઝળતાં ભિખારી કરી નાંખ્યાં... આજે અંધારી રાતના આશરે નસીબને રડતાં બેઠાં છીએ.” પ્રૌઢાએ આપવીતી કહેતાં હૂંઠવો મૂક્યો. કુમારપાળનું હૈયું હચમચી ઊડ્યું. શરમથી માથું નીચે ઢળી પડ્યું. “ગુજરાતના નાથના રાજ્યમાં આવી તો કેટલીય અનાથ વિધવાઓ હશે. એનો ગુનો એટલો જ કે એને પુત્ર નહોતો. પતિ નહોતો. નિર્વશ હોવું એ એના રાજ્યમાં ગુનો હતો. વૈદિકયુગથી આ કાયદો ચાલ્યો આવતો... વિધવા અને વાંઝણીને હિંદુ સમાજ એનું કલંક માનતો – અને રાજ્ય આ શ્રાપિતાઓનુ ધન, મિલક્ત બધું જ રાજ્યના ધનકોષમાં વર્ષોથી ઠલવાતું રહેતું. અનાથ, લાચાર, બેબસ વિધવાઓના ધનભંડારોથી શાપિત ધન પર જે રાજ્ય ચાલતું હોય એ રાજ્યનો રાજા ક્યાંથી સુખી હોય એને ત્યાં સંતાન પણ ક્યાંથી હોય? સોલંકી વંશની પરંપરામાં વાંઝિયાપણું – એક રસમ થઈ ગઈ હતી. “માજી. બહેન.... તમે શાંત થઈ તમારી હવેલીએ જાવ, તમારું ધન રાજા નહીં લે. તમારા જીવનનિર્વાહનો બોજ ગુજરશ્વરના માથે રહેશે.” | ગુજરશ્વરના માથે. ? કેવાં સપનાં બતાવો છો ? રાજા અમારું નિર્વશનું ધન નહીં લે એવાં ખોટાં આશ્વાસન આપી અમારી મશ્કરી શું કામ કરતા હશો? પાટણના સીમાડાની તમને ખબર નથી લાગતી. અમારા કકળતા હૈયાના રુધિરનાં આંસુથી ખરડાયેલું શાપિત ધન રાજભંડારને લાયક રહ્યું છે. અમારે એ ધનને કરવું છે પણ શું? એના વાપરનારા જ જ્યાં દુનિયામાં ન હોય ત્યાં એ ધન હોવાનો અર્થ પણ શો ? વીરા તારી લાગણી બદલ આભાર... બાકી અમને ખોટા આશ્વાસનો આપવાનું રહેવા દે.” વાક્ય પૂરું કરતાં પ્રૌઢાનું હૈયું ભરાઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy