________________
કલિકાલસર્વજ્ઞ
૧૨૫
ઊઠીને નિર્વશ વિધવા થતી સ્ત્રીઓની એની વડિલોપાર્જિત સંપત્તિ જોરતલબીના રૂપે આંચકી રાજ્યના ભંડાર ભેગી કરી વિધવા સ્ત્રીઓને નિરાધાર કરી કાળો કેર જ્યાં વરતાવતો હોય ત્યારે અમારા જેવી લાચાર વિધવાઓની વાતો કોણ કાને ધરવાનું હતું ધણીનો કોઈ ધણી છે” પ્રૌઢા બોલી.
“મા... છે... ધણીનો ધણી.. ઈશ્વર તો છે ને... સૌનાં લેખાંજોખાં લે જ છે ને... સોલંકીવંશના કેટકેટલા રાજા નિર્વશ કરતા જ રહ્યા છે ને. આ સિદ્ધરાજ જયસિંહ મહારાજ નિર્વશ કર્યા. એની પછી પચાસ વર્ષની ઉંમરે કુમારપાળ ગાદીએ આવ્યા. એનેય ક્યાં ક્યાંય છોકરાં છે ?”
યુવાન વિધવા બોલી ઊઠી,
“બેટા... આવું બોલમાં... ભીંતને પણ કાજ હોય છે, જ્યારે આ તો. વગડો છે...'
અને મા આ રાજાઓનું ધન કોઈ થોડું જપ્ત કરે છે ?”
પ્રજાને લૂંટવી છે મારા ભૈ...” યુવાન વિધવા રડવાનું ભૂલી દિલ ખોલતી – વેદના વ્યક્ત કરતી વાતોએ ચડી.
કુમારપાળને આઘાત લાગ્યો. દુઃખ કોઈને નહિ નું હેમચન્દ્રાચાર્યજીએ આપેલા સૂત્રની યુવાન વિધવા અજાણપણે ઠેકડી” ઉડાવતી કુમારપાળને સત્યનું દર્શન કરાવતી હતી.
માજી... આ તમારી દીકરી કે વહુ ખૂબ જ નિરાશ થઈ ગઈ લાગે છે. પરંતુ... માજી તમે માનો છો એવું નથી. સધરા જેસંગના પુણ્ય પ્રતાપે હજી મહારાજ કુમારપાળના રાજ્યમાં એવા દુઃખના ડુંગરાઓ પ્રજાના માથે
ખડકાયા નથી.” કુમારપાળ બોલ્યો. - બેટા... આટલી અંધારી મેઘલી રાત્રે ત્રાહિત જેણના હૈયાની વીતક કથા સાંભળવાના ઓરતા જાગ્યા જ છે તો કહું કે પાટણના જાજરમાન કોટ્યાધિપતિ જ નહીં પણ કોટ્યાધિપતિઓના પણ કોટ્યાધિપતિ કુબેરશ્રેષ્ઠિની હું મા છું અને આ મારી પુત્રવધૂ છે – કાલ સાંજે જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org