________________
૧૨૨
કિલિકાલસર્વજ્ઞ
દ્વારપાળ ઝડપથી ખંડમાં પ્રવેશી પ્રણામ કરતો... આજ્ઞા મહારાજ....'
પાછળના જંગલમાંથી તને કોઈનો રડવાનો અવાજ સંભળાય છે ? કુમારપાળે પૂછ્યું.
“હા મહારાજ. કોઈક રડી રહ્યું લાગે છે. અને અવાજ સ્ત્રીનો લાગે છે, મહારાજ....”
કુમારપાળે ઊભા થઈ ખીંટી પર ટાંગેલી તલવાર કમરમાં લટકાવી, મોઢા પર બુકાની બાંધી... અને શરીર પરના જરિયાન વાઘા ઉતારી સામાન્ય નાગરિકનો પહેરવેશ પહેરી લીધો.
મહારાજ... આમ મધ્યરાત્રીએ... આપ દ્વારપાળથી પ્રશ્ન થઈ ગયો. - “આનક... મારા રાજ્યમાં હજી લોકોને આંસુનો સહારો લેવો પડે
છે... કોણ રડી રહ્યું છે, શું એને દુઃખ છે... એ કોણ છે... આમ અમાસની રાત્રે જંગલમાં આવીને કેમ કલ્પાંત કરે છે જાણવું છે.' કુમારપાળ બોલ્યા.
મહારાજ... આપ શા માટે પરિશ્રમ લ્યો છો ? હું હમણાં જ જંગલમાં જઈને તપાસ કરી આવું... અને સ્ત્રી કે પુરુષ જે કઈના માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યા હોય.. એને આપની સમક્ષ હાજર કરું. આનક બોલી ઊઠ્યો.
“નહીં આનક પ્રજાનાં દુઃખ રાજાએ પોતે જાણવાં જોઈએ. તું પણ મોઢા પર બુકાની બાંધીને ફાનસ લઈને ચાલ” કુમારપાળે પ્રયાણ આદરતાં
કહ્યું.
કુમારપાળ અને આનકે જંગલમાં પ્રવેશ કર્યો ત્યારે ઘુવડનો અવાજ, ચીબરીની ચિચિયારી કાન પર પડ્યાં. આકાશમાં વાદળ ગર્જતાં હતાં. બાજુમાં વહેતી સરસ્વતી નદીના ખળખળ અવાજને વીંધીને રડવાનો અવાજ બન્નેને સંભળાતો હતો.
આનક ચોપ રાખ... બિચારી કોઈક નિરાધાર બાઈ દુઃખની મારી રડી રહી લાગે છે.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org