________________
કલિકાલસર્વજ્ઞ
૧૧૫
અવંતી, સહ્યાદ્રિ, ગિરિમાળા, સોમનાથ, કર્ણાટક અને રાજસ્થાન સુધી વિસ્તાર્યા છે. એ વારસાનું હું મારી શમશેરથી રક્ષણ કરીશ, એટલું જ નહીં પણ એનો વિસ્તાર કરીશ... સર્વધર્મ સમભાવ... ના પ્રેમી – વિદ્વાન મહારાજની કલ્પનાના બધા જ ધર્મોનું. જનહિતાય. પાલન કરીશ. હિંદુ મુસ્લિમ જૈન હિંદુ બધી જ કોમના પ્રજાજનો પ્રત્યે...કાકાજીના પગલે પગલે પ્રેમ-મૃદુતા-લાગણી અને એના સુખ-દુઃખનો હામી બનતો રહીશ. મારા પૂર્વજોની પ્રણાલિકા પર ડગ માંડતો રહીશ... એક પ્રજાવત્સલ, પરોપકારી પરદુઃખભંજન રાજવી બની રહીશ.... જય જય ગરવી ગુજરાત. મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય મહાન ગુર્જપ્રજાનો જય.” કહેતાં કુમારપાળે અનોખા આત્મવિશ્વાસ સાથે અત્યાર સુધી હાથમાં ખુલ્લી રાખેલી તલવાર મ્યાન કરી....
મહારાજ કુમારપાળનો જય...' રાજર્ષિ કુમારપાળનો જન્મ મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય....” ના જયઘોષથી પાટણનું આકાશ ધમધમી ઊઠ્યું.
કુમારપાળે એના આસન પર બેસતાં પહેલાં આચાર્ય હેમચન્દ્રાચાર્યજી, આચાર્ય દેવબોધ, ભવાની રાશિ, અને ભાવબૃહસ્પતિને વંદન કર્યા. ત્યારે આશીર્વચનના શ્લોકોથી સભામંડપ ગાજી ઊઠ્યો.
આચાર્ય દેવબોધ, ભાવબૃહસ્પતિ અને ભવાનીરાશિ. તેમ જ હેમચન્દ્રાચાર્યની નજર સમિતિના સભ્યો સમક્ષ ગઈ. ચહેરાઓ પર પ્રસન્નતા છવાઈ ગઈ. ભાવબૃહસ્પતિએ કુલગુરુરૂપે આશીર્વચનો ઉચ્ચારતા આશીર્વાદ આપતાં કહ્યું,
વિજયી ભવ... રાજ... મહારાજનો સત્, ચિત્ત અને આનંદનો સમૃદ્ધ વારસો વિસ્તારતા રહો... આજની સભામાં “ગુર્જરેશ્વર' બની રાજગાદી શોભાવતા રહો... અને કુલગુરુ ભાવબૃહસ્પતિ, હેમચન્દ્રાચાર્ય, ભવાનીરાશિ. તેમ જ આચાર્ય દેવબોધ કુમારપાળને રાજસિંહાસન તરફ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org