________________
૧૧૪
કલિકાલસર્વજ્ઞ
પધારો કુમારપાળજી... બહુ મોકાના સમયે આવી પહોંચ્યા છો.” ઉદયન મંત્રી બોલી ઊઠ્યા.
સૌ કોઈના ચહેરા પર આશ્ચર્યના ભાવ ખીલી ઊઠ્યા. ત્રિલોચનપાલ બર્બરક, કેશવ સેનાપતિ અને ત્યાગભટ્ટ તો સમસમી ઊઠ્યા. મહાઅમાત્ય મહાદેવની કરડી નજર બધા તરફ – ખાસ કરીને દુર્ગપાલ અને બર્બરક પર ફરી વળી. એની આંખોમાં ઠપકો હતો - લાચારી હતી - નિરાશા હતી. સવિશેષ કુમારપાળ લોકોના ટોળામાંથી એના જયજયકાર સાથે ગૌરવપૂર્ણ ચાલે રાજ્યસભામાં એના જાજરમાન વ્યક્તિત્વની છાપ ઉપસાવતો પ્રવેશી ચૂક્યો હતો. ભાવબૃહસ્પતિ અને ભવાનિરાશિ ત્યાગભટ્ટ અથવા તો થોડા સમય પહેલાં જ સિદ્ધરાજ જયસિંહની દીકરી કાંચનદેવી એના દીકરા સોમેશ્વર સાથે શાકંભરીથી આવી હતી – એને રાજગાદી સોંપવાનું બને શૈવધર્મી હોવાથી સોંપવાનું વિચારી રહ્યા હતા, ત્યાં જ કુમારપાળનું અણચિંતવ્યું આગમન થઈ ગયું હતું.
વિચક્ષણ રાજકારણીઓ અને ધર્માચાર્યો – આ આખાય ખેલના ખેલાડીઓને ઓળખી ગયા હતા. – ખાસ કરીને મહત્ત્વાકાંક્ષી કાન્હડદેવની આ ચાલ હોય એમ લાગ્યું. કાન્હડદેવને સાળા કુમારપાળને રાજગાદીએ બેસાડી, એના વતી ગુજરાત રાજ્યપર એની સત્તા જમાવી દેવાનો કુમારપાળ વતી રાજ્ય ચલાવવાનો અભરખો, મહત્ત્વાકાંક્ષા, પાટણના મુત્સદ્દી રાજકારણીઓથી અજાણ નહોતી. ખંધો રાજકારણી અત્યારે ચૂપ બેઠો હતો. મહાઅમાત્ય મહાદેવે કુમારપાળને આવકારતાં કહ્યું,
કુમારપાળજી... આપનું આ સભામાં સ્વાગત છે. આપ પધારો..” - ભરતખંડના આ દિગ્વિજયી રાષ્ટ્ર પર તમે રાજ્ય કેમ કરશો ? સોમનાથ મંદિરના ભાવબૃહસ્પતિએ પ્રશ્ન કર્યો.
આ યુગના સર્વોચ્ચ, પ્રતિભાશાળી માલવવિજેતા, ત્રિભુવનગંડ, બર્બરકજિષ્ણુ મહારાજ સિદ્ધરાજ જયસિંહ – મારા કાકાશ્રીએ એના અપ્રતિમ પરાક્રમથી જે દિગ્વિજયો મેળવી ગુર્જર પ્રદેશના સીમાડાઓ...
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org