________________
૧૧૦
રાજકારણીઓ, આચાર્ય દેવબોધ, ભાવબૃહસ્પતિ ભવાનીરાશિ, તેમ જ હેમચન્દ્રાચાર્ય એના શિષ્યો રામચન્દ્રસૂરિ સાથે આવીને એમના સ્થાને બેઠા હતા. બર્બરક મુખ્યદ્વાર ૫૨ અડ્ડો જમાવીને બેઠો હતો. પાટણના નગરશ્રેષ્ઠિઓમાં કુબેરશ્રેષ્ઠિની હાજરી બધાનું ધ્યાન ખેંચી રહી હતી. રાજકવિ શ્રીપાલ સિંહાસન પર મહારાજની યાદ આપતી પાદુકાને વંદન કરતો એના સ્થાને બિરાજમાન થયો. કાન્હડદેવ એના ખાસ અનુચર સાથે પ્રવેશ્યા ત્યારે સભાસદોએ એનો યંજયકાર બોલાવ્યો. એના વ્યક્તિત્વ હવામાં એક પ્રકારની તાજગી આણી દીધી હતી. આબુથી ધાર પરમાર પણ પાટણની પરિસ્થિતિનો ક્યાસ કાઢવા આવી પહોંચ્યા હતા. એણે એની બેઠક કાન્હડદેવની બાજુમાં લીધી, સ્તંભતીર્થથી દેવચન્દ્રસૂરિના શિષ્યોનો કાફલો શ્વેતવસ્ત્રો પરિધાન કરી સાધુવેશમાં આવ્યો હતો. હેમચન્દ્રાચાર્યની આંખો એ કાફલાના સાધુઓ પર ફરી વળી, અને ચહેરા પર સ્મિત ફરી વળ્યું. ઉદયન મંત્રી અને કાન્હડદેવ તરફ સૂચક નજરે જોયું અને બન્નેના ચહેરા પર પણ સ્મિત ફોરી ઊઠેલું જોઈ સંતોષ અનુભવ્યો.
કલિકાલસર્વજ્ઞ
નવારાજાના
સવારના અગિયારના ટકોરે રાજસભાનો પ્રારંભ સરસ્વતી વંદનાથી શરૂ થયો. મંગલ વાદ્યોથી વાતાવરણ ઝૂમી ઊઠ્યું. પાટણની જ પ્રજા નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા પ્રજાજનો રાજ્યાભિષેકનો કાર્યક્રમ જોઈ શકે તેટલે સભાગૃહના બધા જ દરવાજાઓ ખોલી નાંખ્યા હતા. પરંતુ રાજસભામાંનો પ્રવેશ રાજસભાના મુખ્ય દ્વારેથી અટકાવી દેવામાં આવ્યો હતો. ત્રિલોચનપાલની ખુદની હાજરી અને કડક ચોકીપહેરો મુખ્યદ્વાર આગળ લાગી ગયા હતા. પ્રજાજનો રાજમહેલના ખુલ્લા મેદાનમાંથી રાજ્યભિષેકનો પ્રસંગ નિહાળવાના હતા.
કુમારપાળ સાદાં વસ્ત્રોમાં રજપૂતનો પહેરવેશ પહેરીને લોકોના ટોળામાં ઘૂસી ગયો. સાદાં વસ્ત્રોની ભીતરમાં જરિયાન વાઘામાં એક રાજવીનો પહેરવેશ એણે પહેર્યો હતો. તલવારને સાદા લૂગડામાં વીંટી બગલમાં દબાવી ટોળાના પ્રવાહમાં ધીમે ધીમે આગળ ઘસડાતો એ લગભગ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International
-