________________
કલિકાલસર્વજ્ઞ
૧૦૯
મહારાજ સાત સાત વર્ષ મુસીબતોના કાઢી આવતી કાલનો શુકનવંતો દિવસ આપણા સૌ માટે જ નહીં પણ સમસ્ત ગુજરાતની પ્રજા માટે આવી રહ્યો છે... જિંદગીમાં આવી તક ફરી વાર નહીં આવે.. આવતીકાલે ગુજરાતના નાથની વરણી થવાની છે. હોંશભર્યા ઉદયન મંત્રી બોલી ઊઠ્યા.
મહારાજ આવતીકાલનું પ્રભાત... દિવસ, પળ બધું જ ખૂબ શુકનવંતુ આપના માટે છે. જ્યોતિષ અને સામુદ્રિક શાસ્ત્રના આધારે, ગ્રહોના પરિભ્રમણની દૃષ્ટિએ પસાર થનારી પળો-ક્ષણોમાં આપના માટે રાજયોગનો યોગ છે. આપ આવતીકાલે કાન્હડજી સાથે રાજસભામાં પધારજો.”
ગુરુદેવ... આપની આજ્ઞાનું અવશ્ય પાલન થશે.” કુમારપાળ બોલી ઊડ્યા.
રાજમહાલયની દોઢીએથી સવારના દસ વાગ્યાના ડંકાથી વાતાવરણ ફૂર્તિલું અને ઉત્સાહભર્યું થઈ ગયું. - “રાજસભાનાં પ્રવેશદ્વાર ખૂલી ગયાં હતાં. ત્રિલોચનપાલની કડક દેખરેખ નીચે પ્રવેશદ્વારમાંથી રાજસભામાં પ્રવેશ થતી દરેક વ્યક્તિની સંપૂર્ણ ચકાસણી થતી હતી. વાતાવરણમાં સહજ ભાર હતો. રાજસભામાં હાજરી આપવા ભાગેડુ કુમારપાળ દુર્ગપાલની નજર ચુકાવી પાટણમાં પ્રવેશી ગયો છે તેવી અક્વા જોરશોરમાં પાટણના ચોરે અને ચૌટે ફેલાઈ ગઈ હતી. ત્રિલોચનપાલ એ બાબતે ચિંતિત હતો અને કુમારપાળ રાજ્યસભામાં ન પ્રવેશી જાય એ માટે સતર્ક હતો. “રાજસભાનાં દ્વાર ખૂલતાં પહેલાં જ એની ખુદની સરદારી અને માર્ગદર્શન નીચે કડક ચોકી પહેરો મુકાઈ ગયો હતો અને સંપૂર્ણ ચકાસણી પછી જ રાજસભામાં પ્રવેશ મળતો.
મહાઅમાત્ય મહાદેવ, કેશવ સેનાપતિ, કુમારપાળના ભાઈઓ મહિપાલ અને કીર્તિપાલ, ત્યાગભટ્ટ, વાભટ્ટ, ઉદયન મંત્રી તેમ જ અન્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org