________________
કલિકાલસર્વજ્ઞ
રાજ્યસભા બોલાવી ઉત્તરાધિકારીનું કાર્ય સંપન્ન કરી લેવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.
વિક્રમ સંવત ૧૧૯૯નો માગશર માસની વદ ૩નો દિવસ હતો. બીજા દિવસની રાજસભાની તૈયારી થઈ રહી હતી. મધ્યરાત્રીનો સમય હતો. પાટણનગરીના મહાલયો, પ્રાસાદો, મહેલોમાં રંગીન મહેફિલની રંગત જામી હતી, ત્યારે કાન્હડદેવના મહાલયમાં ભરાનારી પાટણની રાજ્યસભા અંગેની ગુપ્તમંત્રણા ચાલી રહી હતી. આ મંત્રણામાં ઉદયન મંત્રી, કાન્હડદેવ, કુમારપાળ ઉપરાંત હેમચન્દ્રાચાર્યની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હતી.
૧૦૮
કુમારપાળે આગલે દિવસે ત્રિલોચનપાલ દુર્ગપાલની બાજનજર ચૂકવી ચાંપાનેરી દરવાજેથી સાધુવેશે પ્રવેશ કર્યો હતો. અને સીધા ઉદયન મંત્રીને ઘરે પહોંચી સાંકળ ખખડાવી હતી. ઉદયન મંત્રી સૂવાની તૈયારી કરતા હતા. કુમારપાળને સંદેશો મોકલ્યે પણ પંદરેક દિવસ થઈ ગયા હતા. પણ કુમારપાળના કાંઈ જ વાવડ નહોતા... ઉદયન મંત્રીને સહજ ચિંતા
હતી.
3
સાંકળ ખખડવાનો અવાજ સાંભળી ઉદયન મંત્રી દરવાજો ખોલવા ગયા અને દરવાજો ખોલતાં જ...
મંત્રીશ્વર દરવાજો બંધ કરી દ્યો હું કુમારપાળ’
અરે, કુમારપાળજી બરોબર સમયાનુસાર આવી પહોંચ્યા છો... આવતીકાલે રાજ્યસભાનું આયોજન ગુજરાતના ભાવિ ગુર્જરેશ્વર નિયુક્ત કરવા માટે કરવામાં આવ્યું છે.'
પછી ગુર્જરેશ્વર કોણ બનશે ?” કુમારપાળે જ પ્રશ્ન કર્યો. ‘તમારા સિવાય બીજું કોઈ લાયક રાજસિંહાસન પર બેસવા માટે દેખાતું નથી મહારાજ.' ઉદયન મંત્રી બોલ્યા.
પરંતુ એ સ્થાનને લાયક હું તો કાકાજીના જમાનાથી છું જ નહીં મારી હત્યા માટે તો લાખ્ખોનાં ઇનામો જાહેર થયાં છે.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org