________________
કલિકાલસર્વજ્ઞ
૧૦૭
રણકુશળતા દાખવનાર, લોકોમાં નાની વયમાં જ યુદ્ધ ઉપરાંત બીજા અનેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દેખાડનારો સિદ્ધરાજ જયસિંહનો પ્રપનપુત્ર કુમાર તિલક ત્યાગરાજ પણ હતો. મહારાજે મૃત્યુશધ્યા પરથી એની કુમાર તિલકને રાજ્ય સોંપવાની ઇચ્છા મહાઅમાત્ય મહાદેવ આગળ વ્યક્ત કરી હતી. કેશવ સેનાપતિ, બર્બરક ઈત્યાદિ મહારાજના વિશ્વાસુ રાજપુરુષોએ – મહારાજની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટેના પ્રયત્નો છાને ખૂણે ચાલુ કરી દીધા હતા. ઉદયન મંત્રીને આ વાતની ખબર પડતાં એણે કુમારપાળના બનેવી તુરંગાધ્યક્ષ કાન્હડદેવ - અને ગુરુવર્ય હેમચન્દ્રાચાર્યને ખબર આપ્યા. ઉદયન મંત્રી - ચુસ્ત જૈન હોવાના કારણે કુમારપાળને રાજયસિંહાસન પર જોવા માંગતો હતો. હેમચન્દ્રાચાર્યના સંપર્કમાં આવેલો કુમારપાળ જૈન શાસનનું સામ્રાજ્ય ગુજરાતમાં સ્થાપવામાં ઘણો ઉપયોગી થઈ પડે તેમ હતો. કાન્હડદેવનું સિદ્ધરાજના પ્રીતિપાત્ર હોવા ઉપરાંત કુમારપાળના બનેવી તરીકે પાટણના રાજકારણમાં એક વગદાર વ્યક્તિ તરીકે સારું એવું વજન પડતું. કાન્હડદેવ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતો. અભિમાની અને રંગીન સ્વભાવનો, એનું ધાર્યું પાર પાડી શકે તેવો રાજકારણી હતો. કુમારપાળને રાજગાદીએ બેસાડી, ગુજરાતનું રાજ્ય એને ચલાવવાની મહેચ્છા હતી – એક મહિના પછી રાજ્યના મંત્રીમંડળ પાટણના ભાવિ ગુજરશ્વરની નિમણૂક માટેની રાજ્યસભા બોલાવવાનો નિર્ણય કર્યો. એ રાજ્યસભામાં હાજરી આપવા માટે વિદ્વાનો, ધર્માચાર્યો, શાસ્ત્રીઓ, પંડિતો, સુભટો, મંડલેશ્વરો, દંડનાયકો ઈત્યાદિને આમંત્રણ મોકલી આપ્યાં. મહારાજા સિદ્ધરાજના નિધનના સમાચાર ગુજરાત ઉપરાંત અન્ય પ્રદેશો આબુ, શાકંભરી, માળવા, સોરઠ, ઇત્યાદિમાં ફરી વળ્યા કે તરત જ આ પ્રદેશોના રાજવીઓ ગુજરાત જાણે બોડીબામણીનું ખેતર હોય એમ એના આયુધો ખખડાવવા માંડ્યાં.... મહાઅમાત્ય મહાદેવ અને કેશવસેનાપતિને પણ થયું કે ધણીધોરી વગરનું રાજ્યસિંહાસન કેટલા અંશે આ પરિસ્થિતિમાં સલામત રહી શકવાનું અને એટલે જ રાજ્યસિંહાસન માટેના ઉત્તરાધિકારી માટેની નિયુક્તિ માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org