________________
૧૦૬
કલિકાલસર્વજ્ઞ
કે બેસાડવાનો વિચાર પણ થઈ શકે તેમ નહોતો. પાટણનરેશોની મૂળરાજ સોલંકીથી આ પરંપરા ચાલી આવી હતી. ગુજરશ્વર કોણ ?’નો પ્રશ્ન હવામાં ગુંજતો હતો. ચોરે ને ચૌટે ચર્ચાતો હતો. નિર્વશ સિદ્ધરાજ જયસિંહના નિધન પછી પાટણપતિનો પ્રશ્ન ચર્ચાને ચાકડે ચડ્યો હતો.
સિંહાસનની ચૌલુક્યવંશની આ પરંપરા તૂટવાના સંજોગો ચૌલુક્યવંશના જ ઉત્તરાધિકારી એવા ભીમદેવના વંશજ ત્રિભુવનપાલના ત્રણ ત્રણ દીકરા મહીપાલ, કીર્તિપાલ અને કુમારપાળ હોવા છતાં ઊભા થયા હતા. રાજગાદી પર સિદ્ધરાજના નિધન બાદ એનો હક્ક આમ તો હતો પરંતુ આ વંશપરંપરા મહારાજ ભીમદેવની વારાંગના રાણી ચૌલાદેવીની કૂખે જન્મેલા ક્ષેમરાજે સ્વેચ્છાએ ગાદી ત્યાગ કરી ત્યાગ અને સિંહાસન પ્રત્યેની ભક્તિનો એક નવો ચીલો પાડી સિંહાસનની પવિત્રતાને
અકબંધ જાળવી રાખી હતી – ક્ષેમરાજનો દેવપ્રસાદ અને એના દીકરા ત્રિભુવનપાલના ત્રણ પુત્રો સિવાય ચૌલુક્યવંશમાં હવે કોઈનું અસ્તિત્વ રહ્યું નહોતું સિદ્ધરાજ કુળની અને સિંહાસનની પવિત્રતા જળવાઈ રહે એ માટે આ ત્રણેય ઉત્તરાધિકારીઓને રાજ્ય સોંપવાની વિરુદ્ધમાં હતો, એટલું જ નહીં પણ એના પછી કુમારપાળ સિંહાસને બેસી રાજ્યધૂરા સંભાળશે એવી
જ્યોતિષીઓની આગાહી સાંભળ્યા પછી એની હત્યા કરાવવા સુધી – પ્રવૃત્ત થયો હતો. અને કુમારપાળને જાન બચાવવા ભારતભરનો રઝળપાટ કરવો પડ્યો હતો.
સિદ્ધરાજ જયસિંહનું નિધન થતાં જ મંત્રીમંડળે રાજ્ય સિંહાસન પર સિદ્ધરાજની પાદુકાઓ મૂકી રાજ્ય ચલાવવાનું શરૂ કરી દીધાને મહિનો થવા આવ્યો હતો. આ સમય દરમિયાન ઉદયન મંત્રીએ માલવાથી કુમારપાળને પાટણ આવી જવાનો સંદેશો મોકલી દીધો હતો. અને કુમારપાળે સાધુવેશે પાટણમાં પ્રવેશ કરી દીધો હતો.
- પાટણમાં ગુર્જરપ્રદેશના રાજ્ય સિંહાસન પર બેસવાના સ્વપ્નો સેવતા બીજા પણ કેટલાક ઉમેદવારો હતા. એમાં રણસંગ્રામમાં અનોખી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org