________________
૧૫
બાવન બજાર અને ચૌર્યાસી ચૌટાઓ અને કોટ્યાધિપતિ પટ્ટણીઓની ભવ્ય પાટણનગરી સૂમસામ હતી. પટ્ટણીઓના ચહેરા પર વિષાદની કાલિમાં સરી પડી હતી. ચૌલુક્યવંશના મહાપ્રતાપી મહારાજ સિદ્ધરાજ જયસિંહની બાવન વર્ષે સંવત ૧૧૯૯ના વર્ષમાં જીવનલીલા સંકેલાઈ ગઈ હતી. બર્બરક રાજમહેલના એક ખૂણામાં એના માલિકના દેહાંત પર આંસુ સારતો બેઠો હતો. મંત્રીશ્વર ઉદયન, કેશવ સેનાપતિ તુરંગાધ્યક્ષ કાન્હડદેવ - (કૃષ્ણદેવ), દુર્ગપાલ ત્રિલોચનપાલ અને પાટણના અન્ય ધુરંધરો તેમ જ આચાર્ય દેવબોધ, ભવાની રાશિ, ભાવબૃહસ્પતિ, વામ્ભટ્ટ જેવા વિદ્વાનો સિદ્ધરાજ જયસિંહના નિધનને કારણે ભારે વિમાસણમાં પડી ગયા હતા. પાટણના રાજદરબારમાં સિદ્ધરાજના દેહાંત પછી તરત જ ગુજરેશ્વર સિદ્ધરાજ જયસિંહની પાદુકાને રાજસિંહાસન પર મૂકી. રાજ્યકારભાર ગુજરાતના મુત્સદ્દી રાજકારણીઓ ચલાવી રહ્યા હતા. તો સાથે સાથે નિર્વશ મૃત્યુ પામેલા સિદ્ધરાજ જયસિંહના ઉત્તરાધિકારીની શોધ અને ચર્ચા થઈ રહી હતી. ગુજરાતભરમાંથી લોકોનો સમુદાય પાટણની દિશામાં અનેક તર્કોવિચારો અને વિમાસણો સાથે આવી રહ્યો હતો.
સિદ્ધરાજ – એક માનવેત્તર સિદ્ધપુરુષ હતા. એનું શૌર્ય- ગુજરાતના સીમાડાની સરહદો – વિકસાવવામાં કોંકણથી કાન્યકુબ્ધ, પાટણથી ભૃગુકચ્છ અને દક્ષિણ ગુજરાતથી પણ આગળ વધી રહ્યાદ્રિની ગિરિમાળા સુધી વિસ્તર્યું હતું. આટલા મહાન સામ્રાજ્યને સાચવવા માટેની વ્યક્તિ પણ સિદ્ધરાજ જયસિંહ જેવી મહાન હોવી જોઈએ. આજસુધી ચૌલુક્યોના સિંહાસન પર રાણીપુત્ર – સોલંકીવંશના લોહી સિવાય કોઈને બેસવાનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org