________________
૧૦૪
ગુજરાતમાં સિદ્ધરાજના ગુપ્તચરો પાછળ પડી ગયા હતા એટલે એણે માળવા તરફ પ્રયાણ કર્યું... કુંડકેશ્વર પ્રાસાદમાં મહાદેવજીના દર્શન કરી એ મંદિરનાં પગથિયાં ઊતરતો હતો ત્યાં જ એક શિલા પર લખેલો શ્લોક નજરે પડ્યો.
'पुण्ये वास सहस्से सयस्मिवरिसाणं नवनवरु कलिये । होद्दी कुमर नारिन्दी तुह विक्रमराय सारिच्छो ॥' શ્લોક પૂરો કરતાં એના આશ્ચર્યનો પાર ન રહ્યો. પવિત્ર ૧૧૯૯મું વર્ષ વીત્યા પછી હૈ વિક્રમરાય ! કુમારપાળ રાજા થશે તે તારા જેવો થશે !! માળવામાં એને સિદ્ધરાજ જયસિંહના સ્વર્ગવાસના સમાચાર મળ્યા. દુઃખી થઈ ગયો. જે કાકાએ શૈવધર્મીઓ – ભાવબૃહસ્પતિ, ભવાનીરાશિ અને આચાર્ય દેવબોધનાં વચનો,
કલિકાલસર્વજ્ઞ
હે રાજ... તમારા નસીબમાં પુત્રસુખ લખ્યું નથી પરંતુ ભગવાન શંકરની આરાધના કરો અને ભગવાન શંકર પ્રસન્ન થાય તો... પુત્રપ્રાપ્તિનો એના આશીર્વચનો દ્વારા યોગ થાય પરંતુ રાજ્યના સુકાની કુમારપાળ જ બનશે.’
કહ્યા ત્યારે સિદ્ધરાજ જયસિંહૈ.... કુમારપાળનું નામોનિશાન મિટાવી દેવાનો નિશ્ચય કર્યો... અને એની પાછળ હત્યારાને છોડી મૂક્યા. અને રાનપાન થઈ ગયેલા એને રસ્તે રખડતો ભિખારી બનાવી દીધો હતો એ યાદ આવી ગયું. પરંતુ કુમારપાળને આઘાત લાગ્યો. કચ્છથી કોંકણ અને સોમનાથથી અવંતી સુધીના પથરાયેલા ગુર્જરપ્રદેશ પર રાજ્ય ક૨વા એ જ સર્જાયો છે તેનું ભાન થતાં કુમારપાળ સ્તંભતીર્થ તરફ જવા નીકળી પડ્યો. અને એક સાંજે એણે સ્તંભતીર્થથી પાટણ જઈને ઉદયન મંત્રીશ્રીના આંગણે જઈને ઓચિંતો ખડો થઈ ગયો.
“મહારાજ... આપે મોકાના સમયે ગુજરાતમાં આગમન કર્યું.’ ઉદયન
મંત્રી બોલી ઊઠ્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org