________________
કલિકાલસર્વજ્ઞ
૧૦૩
કુમારપાળ ગામ છોડી – ગુજરાતની ભોમ છોડી દક્ષિણ તરફ જવા ચાલી નીકળ્યો. આથડતોકુટાતો કુમારપાળ રસ્તામાં બબ્બે ત્રણ ત્રણ દિવસના અપવાસ કરી, ક્યારેક ચણા પર રહી... ભટકતો સમય કાઢી રહ્યો હતો. એક દિવસ જંગલમાં એક ઝાડ નીચે ભૂખ્યોતરસ્યો થડને અઢેલીને બેઠો હતો. નજીકના દરમાંથી એક ઉંદરે આવી જમીન પર એક રૂપિયો મૂક્યો. આમ ને આમ દરમાંથી એણે એકવીસ રૂપિયા કાઢીને જમીન પર મૂક્યા. અને પછી થોડી વાર પછી એક રૂપિયો દરમાં લઈને મૂક્યો. કુમારપાળ દરમાંથી ઉંદર બહાર આવે એટલામાં બાકીના રૂપિયા લઈને એનો પ્રવાસ આગળ વધાર્યો. થોડાક દિવસોમાં એ રૂપિયા પણ ખલાસ થઈ ગયા. ફરી નિર્ધન બની ગયેલો કુમારપાળ. એક વખત કુમારપાળ ભૂખ્યોતરસ્યો લગભગ બેભાન અવસ્થામાં જંગલમાં ઝાડ નીચે પડ્યો હતો ત્યારે ઉમ્બર ગામના નગરશેઠની પુત્રવધૂ શ્રીદેવી એની પાલખીમાં પિયર જતી હતી. શ્રીદેવીએ જંગલમાં બેભાન યુવાનને ઝાડ નીચે સૂતેલો જોયો. એણે પાલખી ઊભી રખાવી. કુમારપાળના મુખ પર પાણી છાંટી એને ભાનમાં લાવી... ભૂખ્યા કુમારપાળને ખાવાનું આપ્યું. ત્યારે કુમારપાળ ગદ્ગદિત સ્વરે બોલી ઊઠ્યો.”
દયાની દેવી. તારું નામ શું છે ? હું ઉદમ્બર ગામના નગરશ્રેષ્ઠિની પુત્રવધૂ શ્રીદેવી છું ભાઈ.”
“તું. તેં મને ભાઈ કહ્યો... ભૂખે મરતા રાજ્યના ગુનેગારને જિવાડડ્યો. બેના તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું.' કહેતો કુમારપાળ ચાલી નીકળ્યો ત્યાં જ શ્રીદેવીએ બૂમ પાડી...
રાજ્યના ગુનેગાર... એવા તમે કોણ છો ભાઈ....?”
બહેન ગુજરાતના લોકો મને કુમારપાળના નામે - સિદ્ધરાજ જયસિંહ મહારાજના ભત્રીજા તરીકે ઓળખે છે. ચાલ બહેન... નસીબમાં હશે તો ફરી મળીશું.”
કુમારપાળ... મારા વીરા...' શ્રીદેવી બોલતી રહી અને કુમારપાળ ચાલી નીકળ્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org