________________
૧૦૦
કલિકાલસર્વજ્ઞ
અને આલિંગ સાથે કુમારપાળને હેમખેમ દેથલી તરફ રવાના કર્યો. અને દેથલીથી કુમારપાળ ગુજરાત છોડી દક્ષિણ તરફ ચાલ્યો જવાનો હતો.
મહારાજ પાટણપતિના કાળમુખા કૂતરા દોડતા આવતા લાગે છે. એક વાર ગામમાં ઘૂસી જવાય પછી ગંગા નાહ્યા.” આલિંગ બોલી ઊઠ્યો.
આલિંગ....” કુમારપાળ બોલ્યો. શું છે મહારાજ ?”
“તને ખબર છે – મને જીવતો-મર્યો પકડવા માટે મારા માથે સવા લાખ દ્રમનું ઈનામ જાહેર થયું છે.”
હા... તે શું છે ?” આલિંગ મસ્તીમાં બોલી ઊઠ્યો.
“આ પાછળ દોડતા આવતા કૂતરાને આ કુમારપાળનું નીરણ નાંખી દે... તો ?'
શું કહ્યું મહારાજ ?”
“માલામાલ થઈ જઈશ. મને રાજ્યના સૈનિકોને સોંપી દે.” કુમારપાળ બોલ્યો.
“મહારાજ શું બોલ્યા... આ આલિંગ કુભાર છે. હોં... તમે મારા ભે ખરા મારા જેવા માટલાને જીવતરના નિભાડામાં તપાવી જાણો છો... હોં... હસીને આલિંગ બોલ્યો એટલામાં સિપાઈઓ ગામમાં પ્રવેશેલા જોતાં જ આલિંગ બોલી ઊઠ્યો : “મહારાજ સાબદા થાવ.... ઝટ ઉપાડો પગ એટલે થાય ગામ ટૂકડું અને આવે અમારો કુંભારવાડો.'
આલિંગે ઘરની ડેલી ખખડાવી ત્યારે સિદ્ધરાજ જયસિંહના સૈનિકોના ઘોડાની ધડબડાટીથી દેથલીનું પાદર ગાજી ઊઠ્યું.
આલિંગ... આ તો સૈનિકો આવી પહોંચ્યા...” કુમારપાળ બોલ્યો.
મહારાજ - ઝટ મારી પાછળ ચાલ્યા આવો.” કહેતો આલિંગ એના ઘરના પાછળના વાડા તરફ કુમારપાળને લઈ ગયો અને પાછલા દરવાજેથી બહાર નીકળી એના નિભાડા પાસે પહોંચતાં જ બોલ્યો.
મહારાજ આ નિંભાડામાં શાંતિથી સંતાઈ જાવ... અને સૈનિકો આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org