________________
૧૪
‘એ હાલજો બાપલા.. દેથલી ગામ આવી પોપ્યું” જરા ચોપ રાખજો.” આલિંગ કુંભાર એના ગધેડાઓને ડચકારતો બોલતો હતો.
આલિંગ આ જાનવરની જાત બાકી માણસની જાત કરતાં વફાદાર ઘણી હોં...” રૂડો કુંભાર ઉર્ફે કુમારપાળ બોલ્યો.
પાટણનું પાદર છોડ્યાને કલાકેક પસાર થઈ ગયો હતો. દેથલી હવે દૂર નહોતું – છતાંય બને જણા ગધેડાને ડચકારતા, વ્હાલ કરતા, લગભગ દોડાવ્યે જતા હતા. આલિંગ કુંભારને ડર હતો કે પાટણ આવીને પરખાઈ ગયેલા કુમારપાળને શોધતા સિદ્ધરાજ જયસિંહના ગુપ્તચરો કે સૈનિકો રસ્તા પર ભેટી જવાના. આલિંગને હતું કે એક વખત દોથા જેવડા દેથલી ગામમાં હેમખેમ પહોંચી ગયા, પછી કોઈની તાકાત નહોતી કે તેના મહેમાન રૂડા કુંભારને ઊની આંચ પણ આવે. દેથલી ગામ અંદરથી અને બહારથી ગાંડાબાવળની કાંટ્યોથી ઘેરાયેલું હતું. એકલદોકલ આદમીને કે વરરાજાની જાનને લૂંટીને લૂંટારાઓ કાંટાના વનમાં એવા તો ગાયબ થઈ જતા કે શોધ્યા ન જડે.
દેથલીના પાદરમાં આલિંગ, રૂડો અને એના ગધેડા પહોંચ્યા ત્યાં તો દૂર દૂરથી ઊડેલી ધૂળની આંધીએ બન્નેને સાવધ કરી દીધા. સિદ્ધરાજ
જ્યસિંહના ચુનંદા સૈનિકોનું ધાડું એની પાછળ આવી રહ્યું હતું. કુમારપાળે, એક નજર આલિંગ પર નાંખી. આંખોમાં હિંગળોકિયો રંગ છવાઈ ગયો. શરીર ક્રોધથી કંપવા લાગ્યું. દેથલી ગામ કર્ણ રાજાએ કુમારપાળના દાદા દેવપ્રસાદને આપેલું ગામ હતું. દેવપ્રસાદ અને એનો પરિવાર આ નાનકડા ગામમાં જ રહેતો એટલે સ્થાનિક લોકોને આ પરિવાર પ્રત્યે ખૂબ જ સ્નેહ હતો.
પાટણમાં હટાણે આવેલા આલિંગને ઉદયન મંત્રીએ શોધી કાઢ્યો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org