________________
૯૬
આપ આટલી મોડી રાત્રે... પધારો... અંદર પધારો......
ઉદયન મંત્રી, હાંફળાફાંફળા અપાસરાના ચારે ખૂણામાં નજર ફેરવતાં બેબાકળા સ્વરે બોલી ઊઠ્યા.
મુનિવર્ય... આપણા કુમારપાળ અહીં તમારી સુરક્ષા નીચે જ છે
ને ?”
‘હા મંત્રીશ્વર, મહારાજ ઉદ્દયન મંત્રીશ્રી આવ્યા છે.’ હેમન્દ્રાચાર્યે કુટિર તરફ નજર કરતાં કહ્યું.
કુમારપાળને કુટિરમાંથી બહાર આવતો જોઈ ઉદયન મંત્રી ગળગળા
અવાજે...
હા....... આચાર્યશ્રી... આપે ખરા પુણ્યનું કાર્ય માથા ૫૨ રાજ્યના ગુનેગારને ન સોંપવાનો દેશદ્રોહનો ગુનો વહોરીને પણ કર્યું છે...’ .' મહારાજ શાતામાં તો છો ને ?”
કલિકાલસર્વજ્ઞ
અરે મંત્રીશ્વર, તમે પણ આચાર્યશ્રીની જેમ મહારાજ કહીને બોલાવો છો... એ કેટલે અંશે યોગ્ય ગણાય ?”
આ તમારા બુઢા સેવકના જીવતરનો શો ભરોસો ? કોને ખબર આ સિંહાસન પર આપને બેસવાનો ક્યારે વારો આવે ?”
મંત્રીશ્વર, કુમારપાળજી આ ધરાના પ્રજાપાલક, પ્રેમાળ મહારાજ શાસનકર્તા થવા સર્જાયેલા છે. લલાટ પરની રેખા, ચહેરા પરનાં રાજસી ચિહ્નો અને જન્મસમયના ગ્રહોની પરિભ્રમણની દિશા જોતાં આજથી સાતમા વર્ષે કુમારપાળજી પાટણના સિંહાસને આપ જરૂ૨ બિરાજશો. ભાવિ ક્યારેય, કોઈ મિથ્યા કરી શકતું નથી. જો મારું આ ભવિષ્યકથન ખોટું પડશે તો હું નિમિત્ત જોવાનું છોડી દઈશ પરંતુ તમારે આ સાત વર્ષ કપરાકાળના રઝળપાટમાં જ પસાર કરવાનાં રહેશે....' હેમચન્દ્રાચાર્ય ભવિષ્યવાણી ઉચ્ચારતાં બોલી ઊઠ્યા.
‘કુમારપાળજી !’ ઉદયન મંત્રી ગંભીર સ્વરે બોલી ઊઠ્યા.
બોલો મંત્રીશ્વર.’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org