________________
કલિકાલસર્વજ્ઞ
૮૫.
સાથે અમે અપાસરામાં ઘૂસી ગયેલા ગુનેગારને પકડવા આવ્યા છીએ.” એક સૈનિકે હેમચન્દ્રાચાર્યજીને કહ્યું.
જરૂર... અહીં હોય તો જરૂર લઈ જાવ...” આ ત્રણેય સિપાહીઓ ઓખા અપાસરામાં ફરી વળ્યા. પરંતુ રાજ્યનો ગુનેગાર ન મળતાં નિરાશ થઈને ચાલ્યા ગયા.
હેમચન્દ્રાચાર્યે હસતા હસતા કુટિરમાં જઈ પુસ્તકોના ગંજ પાછળ છુપાયેલા અતિથિને બહાર કાઢતાં પધારો રાજાધિરાજ કુમારપાળજી...”
યુવાન વિપ્ર ચમકી ગયો... અને બીજી જ ક્ષણે હસી પડતાં બોલ્યો, “અરે આચાર્યશ્રી આપે મને ઓળખી કાઢ્યો ?”
મહારાજ, જગતમાં બધુ છુપાવી શકાય છે પરંતુ વિપત્તિના વાદળોમાં છુપાયેલાં શીતળ ચાંદની વેરતો ચન્દ્રમાં લાંબો સમય છુપાઈ શકતો નથી. હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા.
“આચાર્યવર્ય, આપ વારે વારે મહારાજ કહીને, રાજાધિરાજ કહીને - કાકાજી – મહારાજા સિદ્ધરાજથી સદાય હડધૂત એવા એના આ ભત્રીજા કુમારપાળને શરમાવો નહીં. મશ્કરી ના કરો. સૂરિજી પાટણના સિંહાસન પર આજે તો કાકાજી સિદ્ધરાજ જયસિંહ જ બિરાજે છે અને એના પછી ભાણેજ...” - કુમારપાળજી તમારા ચહેરા પરના રાજસી ચિહ્નો, તમારી આંખોમાં રમતો ગુર્જરધરા પરનો પ્રેમ, હૈયામાં ઊભરતી પ્રજાકલ્યાણની ભાવના અને તમારા જન્મ સમયના ગ્રહોની પરિભ્રમણની દિશા જોતાં આપ આજથી સાતમા વર્ષે ગરવી ગુજરાતના સાચા અર્થમાં નાથ બનશો. પાટણના સિંહાસને બિરાજી ગુર્જરેશ્વર કુમારપાળજી તરીકે સત્તાનાં સૂત્રો સંભાળશો. હેમચન્દ્રાચાર્યજી અડગ વિશ્વાસ સાથે બોલી ઊઠ્યા.
અપાસરાના દરવાજાની સાંકળ ફરી ખખડી. કુમારપાળ સાવધ થઈ કુટિરમાં પુસ્તકોના ગંજ પાછળ સરકી ગયો, હેમચન્દ્રાચાર્યજીએ બારણું ખોલ્યું અને એના મુખમાંથી આશ્ચર્યોદ્ગાર સરી પડ્યા... “અરે મંત્રીશ્વર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org