________________
૧૩
અરે વિપ્ર આપ.. આજે તો... મહારાજ કર્ણદેવનો શ્રાદ્ધદિન છે... આમ હાંફ્ળાંફાંફળા અડધી રાત્રે આ સેવકની કુટિર પાવન કરવા ક્યાંથી આવી ચઢ્યા ? આપ સ્વસ્થ થાવ... શાંત થાવ....' હેમચન્દ્રાચાર્ય બોલ્યા.
આ જગતનો ભૂલ્યોભટક્યો અતિથિ છું સૂરિજી. મને ક્યાંક છુપાવી દો. રાજ્યના સૈનિકો મારો જીવ લેવા મારી પાછળ પડ્યા છે.' યુવાન વિપ્ર કરગરી ઊઠ્યો.
હેમચન્દ્રાચાર્ય આંગણે આવેલા અતિથિ સામે જોઈ રહ્યા. કુટિરના ફાનસના અજવાળામાં ચહેરો – તેજથી ચમકતું લલાટ, હેમચન્દ્રાચાર્યજી જોતા રહ્યા.
એ જ વખતે અપાસરાના દરવાજા પર અરે કોઈ છે.... ઝટ ઉઘાડો... દરવાજો....’ના ઘોંઘ૨ા અવાજે વાતાવરણને ધમધમાવી મૂક્યું. અપાસરાની બહારના રસ્તા પર ધડબડાટી બોલી રહી હતી.
હેમચન્દ્રાચાર્યજીએ એક નજર ધ્રૂજતા વિપ્ર ૫૨ નાંખી. ચહેરા પર સ્મિત ફોરી ઊઠવાને બદલે આ વ્યક્તિ અગાઉ ક્યાંક જોયાનો અણસાર આવી ગયો. અને બીજી જ ક્ષણે દરવાજા પર થતા ધમધમાટને લીધે એણે સાવચેતીરૂપે કુમા૨પાળને એ જ કુટિરમાં પુસ્તકોના ગંજ પાછળ સંતાડીને કુટિર બહાર આવ્યા ત્યારે દરવાજામાંથી ત્રણચાર સૈનિકો પ્રવેશી રહ્યા હતા. મહારાજનો ય હો... ગુરુદેવ આપના અપાસરામાં એક સાધુને ઘૂસતો જોયો, આપે જોયો ?
કોણ એ ચોર હતો ? રાજ્યનો મોટામાં મોટો શત્રુ હતો ?” હેમચન્દ્રાચાર્યે પૂછ્યું.
‘હા મહારાજ, રાજનો એ મોટામાં મોટો ગુનેગાર છે. આપની રજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org