________________
કલિકાલસર્વજ્ઞ
ખાવા આવી આ ભૂદેવોને વટલાવી દીધા. દોડો..... પકડો....
અને થોડા સમય માટે દોડધામ થઈ ગઈ. સૈનિકોની અવરજવ૨ વધી ગઈ. બ્રહ્મભોજન માટે બેઠેલા બ્રાહ્મણો પણ ડઘાઈ ગયા. કુમારપાળે પાટણની પોળમાં રહેતાં ઉદયન મંત્રીની ડેલી ખખડાવી.
રાજમહેલમાંથી હાંફળાફાંફળા ચિંતાગ્રસ્ત ઉદયન મંત્રી ઘરે આવી ગયા હતા. એણે બારણું ખોલી જોયું તો યુવાન બ્રાહ્મણ સાધુ ઊંબરે ઊભો હતો.......
૯૩
અરે મહારાજ... તમે.... અહીં......
‘હા મંત્રીશ્વર... આટલા મોટા પાટણમાં તમારા સિવાય મારું કોણ ?’ “મહારાજ, ઝટ ઘરમાં આવી જાવ... મહારાજ સિદ્ધરાજના મારાઓ અને ગુપ્તચરો તમારી શોધમાં આખું પાટણ ધમરોળી રહ્યા છે... મહારાજ.... તમે પાછળના ભાગની ડોકાબારીમાંથી બહાર નીકળી પાટણગામ છોડી ક્યાંક દૂર દૂર ચાલ્યા જાવ... અથવા તો... હેમચન્દ્રસૂરિના અપાસરે પહોંચી
જાવ.'
અને મોડી સાંજે... અંધારામાં ઉડ્ડયન મંત્રીના પાછલા ભાગના ખંડની ડોકાબારીમાંથી સાધુવેશે કુમારપાળ હેમચન્દ્રાચાર્યના અપાસરા તરફ ભાગ્યા ત્યારે મધ્યરાત્રીનો ગજર ભાંગી ચૂક્યો હતો.
અપાસરાની ડેલીના બારણાને કુમારપાળે જોરથી ખખડાવ્યું... અને હેમચન્દ્રાચાર્યે ... બારણું ખોલી જોયું તો ઊંબરામાં એક યુવાન બ્રાહ્મણ સાધુ ઊભો હતો.
‘તમે... તમે... મને અંદર લઈ લ્યો.... પાટણના મારાઓ મારો જાન લેવા પાછળ પડ્યા છે મહારાજ....’
અને હેમચન્દ્રાચાર્યે ઝડપથી યુવાનસાધુને અંદર ખેંચી લીધો અને બારણાને સાંકળ મારી. યુવાન બ્રાહ્મણ સાધુને એની કુટિરમાં લઈ ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org