________________
૯ર
કલિકાલસર્વજ્ઞ
સાથેનો એક બ્રાહ્મણ પણ કતારમાં બેઠો હતો. પલાંઠી વાળીને બેઠેલા યુવાન બ્રાહ્મણ પર સિદ્ધરાજ જયસિંહની નજર વારે વારે જતી હતી. લલાટ પર ઝળહળતું તેજ.. કંઈક અનોખું લાગ્યું. એ યુવાન બ્રાહ્મણની બેસવાની રીત પણ જુદા પ્રકારની લાગી. ઓચિંતી એની નજર યુવાન બ્રાહ્મણની પગની પાની પર ગઈ... એ ચમક્યો. એણે ઝડપથી સોમનાથના ભાવબૃહસ્પતિને બોલાવી લીધા. ઇશારાથી જ સિદ્ધરાજે બ્રાહ્મણોની પંગતમાં બેઠેલા યુવાન બ્રાહ્મણ સાધુ તરફ નજર સ્થિર કરી.
ભાવબૃહસ્પતિની આંખો યુવાન સાધુના ભાલ પરના તેજ પર, પગની પાનીના રાજચિહ્નો પર પડી... અને એ ચમકી ગયો....
નક્કી આ કુમારપાળ જ હોઈ શકે
દાદાના શ્રાદ્ધનો પ્રસાદ જમવા – રાતદિન ભૂખ્યો તરસ્યો રાજકુમાર કુમારપાળ જ હોવાની શંકા એણે પહેલાં ઉદયન મંત્રી પાસે કાનમાં રજૂ કરી, ઉદયન પણ કુમારપાળને પારખી ગયો.
- બરોબર એ સમયે જ રાજમાતા મીનળદેવીના આગમનની છડી પોકારાઈ. સિદ્ધરાજ, મુંજાલ, ભાવબૃહસ્પતિ અને અન્ય રાજપુરુષો રાજમાતાનું સ્વાગત કરવા દરવાજા તરફ વળ્યા, એટલામાં ઉદયન મંત્રી યુવાન બ્રાહ્મણ સાધુ નજીક સરકયા અને...
શ્રાદ્ધ પહોંચી ગયું... ઝટ વિદાય લ્યો મહારાજ, નહીં તો કારાગાર ભેગા થશો....”
અને ચેતી ગયેલો યુવાન સાધુ... ઝડપથી પંગતમાંથી ઊભો થઈ રાજમહેલના પાછળના ભાગની ડોકાબારીમાંથી ભૂખ્યો-તરસ્યો છટકી ગયો.
સિદ્ધરાજ જયસિંહ અને અન્ય મહાનુભાવો મીનળદેવીનું ભાવભીનું સ્વાગત કરી, પાછા બ્રાહ્મણો વચ્ચે આવીને ઊભા રહી ગયા અને પંગતમાં એક પાતળ સામે પેલા શંકિત બ્રાહ્મણને ન જોતાં જ સિદ્ધરાજ જયસિંહ હેબત ખાઈ ગયા.
“અરે કોઈ છે... પકડો પેલા કુમારપાળને – બ્રાહ્મણ બનીને શ્રાદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org