________________
૮૯
દુર્ગપાલ હતો. સમસ્ત પાટણની જવાબદારી એના શિરે હતી.
‘કાન્હડદેવ. મંત્રીશ્વર... ચૌલુક્યોનું સિંહાસન વારાંગનાના પુત્રો માટે નથી....સિદ્ધરાજ કડક સ્વરે બોલી ઊઠ્યો.
વાતાવરણમાં એક સોપો પડી ગયો. કૃષ્ણદેવ સમસમી ઊઠ્યો. ઉદયન મંત્રીનું મસ્તક ઢળી પડ્યું.
સભા બરખાસ્ત થઈ ગઈ. સૌ કોઈ હૈયામાં અવનવા વિચારો સાથે છૂટા પડ્યા ત્યારે સિદ્ધરાજે મુંજાલ મહેતાને ઇશારો કરી એની નજીક બોલાવ્યા. ઉદયન મંત્રીની નજરે મહારાજનો ઇશારો ચડી ગયો. એણે એની ચાલ ધીમી કરી નાંખી...
“મુંજાલજી. શાકંભરી... સાંઢણીસવાર તાકીદે મોકલી અર્ણોરાજ, કાંચનદેવી અને ભાણેજ સોમેશ્વરને પાટણ બોલાવી લ્યો... બે દિવસ પછી પિતાશ્રીનો શ્રાદ્ધદિન આવે છે... અને હાં... તમને સોમેશ્વર માટે શું લાગે છે ? વિચારી જોજો:
મુંજાલ... અને થાંભલાની આડશમાં ઊભેલા ઉદયન મંત્રી – બન્નેએ એકી સાથે આંચકો અનુભવ્યો – ધ્રાસકો પડ્યો, મહારાજા સિદ્ધરાજનું વલણ કઈ દિશામાં ઢળી રહ્યું હતું એનો અંદાજ બને મંત્રીઓને એની રીતે આવી ગયો.
શાકંભરીનો અર્ણોરાજ મહાપ્રતાપી રાજા હતો. સિદ્ધરાજનો જમાઈ હોવાથી એનું પાટણના રાજકારણમાં સારું એવું ઉપજતું હતું. ચાલાક દીકરીજમાઈએ – પુત્રવિહોણા સિદ્ધરાજ પાસે ભાણેજ સોમેશ્વરને શૈશવથી જ રમતો કરી દીધો હતો. મામાનો ભાણેજ પ્રત્યેનો પ્યાર – પાટણના ચોરે અને ચૌટે ચર્ચાનો વિષય બની ગયો હતો. મુંજાલ ચમકી ગયા. એ પટ્ટણીઓના સ્વભાવથી – એની ખુમારી અને ખુદ્દારીથી પરિચિત હતા. પાટણના સિંહાસન પર પાટણની પ્રજા “ચૌલુક્ય વંશના ખમીરવંતા વારસને જ સ્વીકારે તેમ હતી. ભાણેજો અને દત્તકપુત્રોને એ કોઈ કાળે રાજવી તરીકે સ્વીકારવાના નહોતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org