SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ કુબેરજી, સેનાપતિ કેશવજી, ઉદયન, મુંજાલજી... આપ સર્વેએ ખૂબ જ પ્રેમપૂર્વક મારા વનપ્રવેશ મહોત્સવને ધામધૂમથી ઊજવીને મને વૃદ્ધ બનાવી દીધો છે...' કાળના કહેણને કાળા માથાનો કોઈ માઈનો પૂત અટકાવી શક્યો નથી. વનપ્રવેશ માનવીને એની જિંદગીની સાચી દિશા બતાવે છે... આજે મારા કચ્છથી કોંકણ અને સોમનાથથી અવંતી સુધીના વિશાળ સામ્રાજ્ય સંભાળી શકે એવા વારસદાર વિષેની શક્યતાઓ ચકાસી જોવી છે...' સિદ્ધરાજ બોલ્યો. કલિકાલસર્વજ્ઞ મહારાજ એ બાબતમાં આપે શું વિચારી રાખ્યું છે ? મુંજાલ મહેતાએ પ્રશ્ન કર્યો. મુંજાલજી... તમને તો ખબર છે.. નાંખી નજર પહોંચતી નથી. સોમનાથના સમંદરથી નર્મદાના મૂળ સુધી, સહ્યાદ્રિની પર્વતમાળા સુધી પથરાયેલા વિશાળ રાજ્યને સંભાળી શકે તેવો સોલંકી પરિવારમાં આજે તો કોઈ દેખાતો નથી.' સિદ્ધરાજે કહ્યું. મહારાજ... આટલા નિરાશ થવાની જરૂ૨ નથી.' કુમારતિલક ત્યાગભટ્ટ... આપના...' મલ્હાર ભટ્ટે સિદ્ધરાજના પ્રપન્ન પુત્ર ત્યાગભટ્ટનું નામ મહારાજાને સારુ લગાડવા છેડ્યું. હજી એ એટલો પરિપક્વ નથી... કે આટલા મોટા સામ્રાજ્યને એને સોંપાય...' મુંજાલે વાતનો છેદ ઉડાડી દીધો. મહારાજ... આપના પિતરાઈભાઈ ત્રિભુવનપાલના ત્રણ ત્રણ દીકરા છે. અને એમાં પણ મોટા મહિપાલ, કીર્તિપાલનો વિચાર ન કરીએ તો પણ કુમારપાળ માટે વિચારી શકાય.' ઉદયન મંત્રીએ એક નજર હેમચન્દ્રાચાર્ય ૫ર નાંખતાં મમરો મૂક્યો. ઉદયન મંત્રીની વાત વિચારવા જેવી ખરી. મહારાજ કુમારપાળનો બનેવી કાન્હડદેવે – ઉદયન મંત્રીની વાતને ટેકો આપ્યો. કૃષ્ણદેવના નામે ઓળખાતો કાન્હડદેવ – સિદ્ધરાજનો વિશ્વાસુ સાથી હતો. યુદ્ધભૂમિ પરના એના પરાક્રમો અજોડ હતાં... પાટણનો એ તુરંગાધ્યક્ષ હતો... ત્રિલોચનપાલ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy