SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ નપુંસકવેદની ભવસ્થિતિ. ૬૭] પ્રશન–હે ભગવંત, કર્મભૂમિ, ભરત, ઐરવત, પુર્વ માહાવિદેહ, ને પશ્ચિમ મહાવિદેહના નપુંસકની કેટલા કાળની સ્થિતિ છે? ઊતર--- હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ક્રોડપુર્વની, ને ધર્માચરણ આર્થિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશેઉણા પુર્વની. પ્રશ્ન- હે ભગવંત, અકર્મભૂમિના નપુંસકને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર–હે ગૌતમ, જન્મ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુ ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તની છે (અકર્મભૂમિ મળે ગર્ભજ મનુષ્ય નપુંસક નથી, તે માટે સમુઇિમની સ્થિતિ કહી), ને સંહરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશઉણ ક્રોડપુર્વની. એનો વિચાર પુર્વે કહ્યા છે તેમ જાણવો. એમ જાવત્ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકને પણ જાણવું. હવે નપુંસક વેદની કાયસ્થિતિ કહે છે. પ્રશ્ન–હે ભગવંત, નપુંસકવેદને નપુંસકપણે જીવ કેટલા કાળ સુધી રહેશે ઉત્તર– હે ગેમ, જઘન્યથી એક સમય (ઉપસમ શ્રેણીઆશ્રિ) ને ઉત્કૃષ્ટપણે અનંતે કાળ રહે. (વનસ્પતિ મણે) એ નપુંસકવેદની સમચે કાયસ્થિતિ કહી. હવે વિશેષથી કહે છે. પ્રશ્ન–હે ભગવંત, નારકી નપુંસક નારકી નપુંસકપણે કેટલા કાળ રહે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસ, ને ઉત્કૃષ્ટપણે તેત્રિશ સાગરોપમ રહે. તે નારકીને જે ભવસ્થિતિ છે તે જ કાયસ્થિતિ જાણવી, કેમકે નારકી મરી નારકી થાય નહીં માટે) એ નારકીની સમચે કાયસ્થિતિ કહી. એમ જે વળી સાતે નરકે જે જે નારકીને તેની જે ભવસ્થિતિ છે તેજ તેની કાયસ્થિતિ કહેવી. હવે તિર્યંચની કહે છે. પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચનીયા જીવ નપુંસકવેદના નપુંસકવેદે કેટલે કાળ રહે ઉતર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ. એ સમચે કહ્યું. પ્રશ્ન–હે ભગવંત, એકંદિ તિર્યંચોનીયા નપુંસક નપુંસકવેદે કેટલે કાળ રહે? ઉત્તર– ગૌતમ, જેમ તિર્યંચ નપુંસકની સમુદાયપણે કાયસ્થિતિ કહી છે તેમ જાણવી. પ્રશ્ન–હે ભગવંત, પૃથ્વી, પાણી, અગ્ની ને વાયુકાય એકંકિ નપુંસક નપુંસકપણે કેટલો કાળ રહે? ઊતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળ રહે, તે પણ અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી રહે. ને ક્ષેત્રથી અસંખ્યાતા લોક મળે જેટલા આકાસ પ્રદેશ છે તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રથબાદિક મથે રહે. પ્રશ્ન–હે ભગવંત, વનસ્પતિકાય એકેદ્રિ તિર્યંચ નપુંસક નપુંસકપણે કેટલે કાળ રહે? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ. જેમ સમચે કહ્યું છે. તેમ જાણવું. પ્રશન–હે ભગવંત, બેઇદ્રિ, તેદ્રિ ને ચેદિ નપુંસક નપુંસકવેદે કેટલે કાળ રહે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy