________________
સુક્ષ્મ, બાદર અપકાયને અધિકાર.
લેકને છેડે નથી રહ્યા જેથી કરી વ્યાઘાત ન હોય તે માટે.) પ્રશન–હે ભગવંત, ક્યા જીવ બાદર પૃથ્વીકાયપણે આવી ઉપજે? ઉતર–હે ગતમ, તિર્યચ, મનુષ્ય અને દેવતા આવીને ઉપજે. તેમાં તિર્યંચ, મનુષ્ય જુગલીયા વરજીને ઉપજે અને દેવતા તે પણ ભવનપતિ, વ્યંતર, તિથી, સુધર્મા દેવલેક, ઇસાન દેવલેક સુધીના આવીને ઉપજે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવનું આખું કેટલું છે? ઉતર–હે ગૌતમ, જધન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસનું (ખર પૃથ્વીનું) છે. પ્રશન–હે ભગવંત, તે જીવ મારણાંતિક સમુદઘાત સમહત મરે છે? કે અસમેહતા મરે છે ? ઉતર--- હે ગૌતમ, સમેહત પણ મરે છે. અને અસમેહત પણ મરે છે. પ્રશન–હે ભગવંત, તે જીવ આંતરા રહીત ચવીને કઈ ગતે જાય? કઈ ગતિમાં ઉપજે? શું નારકી મધ્યે ઉપજે કે તિર્યચ, મનુષ્ય, દેવતા મધ્યે ઉપજે? ઉતર– ગતમ નારકી મધ્યે ઉપજે નહીં. તિર્યંચ અને મનુષ્માં ઉપજે. પણ દેવતામાં ઉપજે નહીં. જેમ સુક્ષ્મ પૃથ્વીના જીવ તેમ જ જાવત મનુષ્ય, તિર્યંચ મધ્યે જુગલીયા વરજી ઉપજે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલી ગત અને કેટલી આગત છે? ઉતર–હે ગતમ, બે ગત (મનુષ્ય, તિર્યચ.) ને ત્રણ આગત છે (દેવતા, મનુષ્ય ને તિર્યંચ)
એ જીવન પ્રત્યેક શરીર કહ્યાં છે અને ચઉદ રાજલક મળે અસંખ્યાતા જીવ છે. અહ સાધે માનભાવો! એટલે બાદર પૃથ્વીકાયને અધિકાર કહ્યો એટલે પૃથ્વીકાયને અધિકાર સંપૂર્ણ થયે-હવે અપકાયને અધિકાર કહે છે. તે
૯ સુક્ષ્મ, બાદર, અપાય (પાણી) અધિકાર પ્રશન–હે ભગવંત, અપકાય (પાણી)ને કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. એક ભેદ સૂક્ષ્મ અપકાય, અને બીજે બેદ બાદર અપકાય, તેના વળી બે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં પ્રથમ સુક્ષ્મ અપકાયને અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ અપકાયા જીવને કેટલાં શરીર છે? ઉતર–હે ગૌતમ, તેને ત્રણ શરીર છે. ઉદારિક ૧, તેજસ ૨, અને કામણ ૩.
શેષ અધિકાર જેમ સુક્ષમ પૃથ્વિકાને કો તેમ જાણવો. પણ એટલો વિશેષ છે જે પાણીના જીવનું સંસ્થાન (આકાર) પાણીના પરપોટાને આકારે છે. જાવત બે ગતી અને બે આગતી ( તિર્યચ, મનુષ્યની) છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org