SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬ર ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. યુથિકા નામે વનસ્પતિ તેહના જેવાં પીળાં ફુલ, કરંટ વૃક્ષના પુલની જેહવી પીળી માળા, સુધીરજકા નામે વનસ્પતિ તેહનાં જેવાં પીળાં ફુલ, બીજક નામે વનસ્પતિ તેહનાં જેવાં પીળાં ફુલ, પીળો અશોક વૃક્ષ, પીળો કણયર, પાળ બંધુ છવ નામા વૃક્ષ. ઇત્યાદિક જેવાં પીળાં છે, તે તે તૃણુ ને મણિને પીળો વર્ણ છે? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. તે પીળાં તૃણને મણિનો એહથી અધિક વલ્લભ ભાવત્ સૂભ વર્ણ છે. પ્રશ્ન–હે ભગવંત, ત્યાં જે તવ તૃણને મણિ છે. તેને એવો એહવે રૂપે વર્ણ કર્યો છે? તે યથાદ્રષ્ટાંત. અંતરત્ન, દક્ષણાવર્તસંખ, ચંદ્રમા, મચકુંદનું ફુલ, પાણીના ફુવારા, હંસપંખીની શ્રેણી, કોચપંખીની શ્રેણી, મોતીના હારની શ્રેણી, બગલાની શ્રેણી, ચંદ્રાવળી તે નિર્મળ જળમણે ચંદ્રમાના પ્રતિબીબની શ્રેણ, શરદ કાળને જેહવાં સ્વેત વાદળાં, અણીએ ધમે જેહ રૂપાને પટ્ટ, ઘેળા ચોખા તુસ રહીત, મચકુંદના પુલને પુંજ, મેરપીંછને ગર્ભ, સ્વેત કમળને પુજ, સુકી છીવાડીનામાં વૃક્ષના પુલ, પદ્મની કંદ, પદ્મતંતુયા, હાથીના દાંત, લવંગદળ (પત્ર) પિડરીક કમળનું પત્ર, વર્ષોનું જળ, જાયના ફુલની માળા, ઘેળો અશોકવૃક્ષ, ઘેળો કયર, ધળો બંધુજીવનામાં વૃક્ષ, (અશોક વૃક્ષ, કણયર, ને બંધુજીવનામ વૃક્ષ, એ ત્રણે વૃક્ષ પાંચે વણે કહ્યાં છે.) ઈસાદિકને જેમ વેત વર્ણ છે. તેહેવો એ તૃણને મણિનો સ્વેતવર્ણ છે? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. તે ત ડ્રણ ને મણિન એહથી અધિક વલ્લભ નવત શુભ વર્ણ છે. પ્રશન–હે ભગવંત, તે તૃણને મણિ તેહને કે ગંધ કહ્યો છે ? ઉત્તર–હે ગૌતમ, તે યથાદ્રષ્ટાંત કોઠના પડા, સુગંધી પાનના પડા, ચુવાના પડા, તગરના પડા, એળચીના પડા, કીર્મરાનામા દ્રવ્યના પડા, બાવના ચંદનના પડા, કુકમના પડા, ઉસીરના પડા, (ઉસીર તે ચીરણવૃક્ષનું મુળ જાણવું.) ચંપાના ફુલના પડા, મરૂવાના પડા, દમણુના પડા, જાયના પુલના પડા, જુઈના પુલના પડા, માલતીના પુલના પડા, નવ માલતીના પુલના પડા, વાસંતીનામા વૃક્ષના પુલના પડા, કેતકીના પુલના પડા, કપુરના પડા, પાડળ વૃક્ષના પુલના પડા, તેહને મંદ વાયને વિષે મુકતે થંકે, પડાને ઉખેળતે થકે, પડાને ભેદતે થકે, કઠ પ્રમુખ ખાંડતે થકે, છેદતે થકે, ખંડ ખંડ કરતે થક, સુગંધી દ્રવ્યનો સંગ મેળવતેથકે, ઉખેડતે થકે, વીખેરતેથકે, ભોગવતેથકે, વચે દેતેથકે, એક ઠામથી બીજા કામને વિષે મુકતે થકે. મનોહર મનને ગમત. નાશીકા અને મનને સુખના કરણહાર એહવા સર્પ દશે ચેકફેર મનોહર ગંધપ્રતે વાસે. (મુકે) તેવારે ગૌતમ પુછે છે. પ્રશ્ન- હે ભગવત, તે તૃણને મણિને એ ગંધ છે ? ઉત્તર– હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. તે તૃણ ને મણિને એહથી અધિક વલ્લભ ગંધ છે. જાવત મનને ગમતો નિચે ગંધ કહ્યો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy