SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, - - - - - - - - - - - - - - - - - - - - - - - - ઉત્તર– હે ગૌતમ, તે યથા તે ગોળ, અથવા ખાંડ, અથવા સાકર, અથવા મદિર, અથવા ભિષકંદ (દેશવિશેષ) અથવા પર્પટ મેદક, પુષ્કોતર, અથવા પદત્તર, આક્રેસીકા, વિજ્યાપાક, મહાવિજયાપાક, કઈક મિષ્ટાન વિશેષ, અનોપમ ગાયનું દુધ, ચાર ગાયને પાઈને તેનું દુધ ત્રણ ગાયને પાય તેનું દુધ બે ગાયને પાય તેનું દુધ એક ગાયને પાય તે ગાયનું ઉત્તમ દુધ. તે મધ્યે ગળ. ખાંડ, સાકર પ્રમુખ નાખીને તેને મંદ અજ્ઞાએ કરી પકવીએ, તે વર્ણ કરી વર્ણવા જોગ જાવત પર્સે કરી વર્ણવા જોગ્ય છે. પ્રશન–હે ભગવંત, તે પૃથ્વીને સ્વાદ એ વર્ષે જાવત પશે છે? ઉતર– ગૌતમ, એ અર્થ મળે નહીં. તે પૃથ્વીને એથી ઈષ્ટ જાવત મનોજ્ઞ સ્વાદ કડ્યો છે. પ્રશન–હે ભગવંત, તે પુલ ફળનો કે સ્વાદ કહ્યો છે? ઉત્તર– ગેમ, તે યથા દત ચાર દીશના અંતરે કરવાવાળે ચક્રવર્તિ તેને પરમ કલ્યાણ ભોજન. લાખ ગાયથી નીપનું તે ભોજન વર્ણ કરી વર્ણવા જેગ, ગંધ કરી વર્ણવા જેગ્ય, રસે કરી વર્ણવવા જેગ્ય, સ્પર્શ કરી વર્ણવવા ગ્ય, આસ્વાદવા જેગ, દીપાવવા જેગ્ય, કામ વધારવા જેવ, સુખનું કારણ. સર્વ ઇદ્ધિ ને ગાત્ર તેને સુખનું કારણ છે. એમ કથકે ગૌતમ પુછે છે. પ્રશ્ન- હે ભગવંત, તે પુલ ફળને સ્વાદ એ વર્ષે જાવ, સ્પર્શ છે? ઉત્તર-હે મૈતમ, એ અર્થ સમર્થ નહીં. તે પુલ ફળનો એથી છતર (એથી અતિશે એટલે ચક્રવતિના ભોજનથી ઘણો મનહર) જાવત સ્વાદ કહ્યું છે. પ્રશન–હે ભગવંત, તે મનુષ્ય આહાર કરી ક્યાં રહે છે? ઉત્તર-હે ગૌતમ, તે મનુષ્યના ગણ ઘરરૂપ ઝાડમાં વસે છે. આ સાધો આયુષ્ય ! પ્રશ્ન–હે ભગવંત, તે વૃક્ષ કે આકારે છે? ઉત્તર–હે ગેમ, કેટલાક શિખરને આકાર, ક્ષિા (ધુમટ) ઘરને આકારે છે. (જોવા જેગ) છત્રને આકારે છે. વજાને આકારે, શુભને આકારે, તેરણને આકારે, ગપુર (દરવાજો વેદિકા બેસવા જોગ ભૂમિ ચોપાળગઢ ઉપર બેસવાનું સ્થાન)ને આકારે, ચેત્ય તે દેવતાનાં ઘરને આકારે, અટાલાને આકારે, મોટા અટાલાને આકારે, પ્રસાદને આકારે, ધનવંત વ્યવહારીયાના ઘરને આકારે, ગેખને આકારે, તળાવને વિષે જળ ઉપર જે પ્રાસાદતેને આકારે, વલભી ઘરનું ઢાંકણું છજાને આકારે, રસોડાને આકારે વૃક્ષ છે. બીજાં પણ ત્યાં ઘણાં વૃક્ષ, ભવન, સન્યા આસન ઉતમ તેને સંસ્થાને વૃક્ષ છે. ભલી કાઢી છાંયાવંત તે વૃક્ષના સમુહ કહ્યા છે. અહીં સાધે આયુષ્યવંત ! પ્રશન–હે ભગવંત, એકરૂક દ્વીપ ઘર અથવા ગ્રહવન છે? ઊતર-હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. વૃક્ષજ ઘર છે એવા તે મનુષ્યના સમુહ કહ્યા છે, અહે સાધે આયુષ્યતિ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy