SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ નારકીને ઉષ્ણ તથા, સીત વેદના. ૧૦૭]. એ પાંચ મહાપુરૂષની કથા પુર્ણ થઈ હવે ચાલતો વિષય (ભાષાંત્તર) શરૂ કરવામાં આવે છે. ૪૧ નારકીને ઉષ્ણ તથા સીતવેદના કહે છે. પ્રશ્ન- હે ભગવંત, ઉrણ વેદનાવાળા નારકી નરકને વિષે કેવીક ઉણુવેદના ભગવતાં થકો વિચારે છે? ઉતર–હે ગેમ, તે યથા દાંતે કોઈક લુવારનો પુત્ર વયે કરી જુવાન બળવંત, રોગ રહીત સ્થિર છે હાથનો અગ્ર ભાગ, સ્થિર છે જેના હાથ, પગ, પાસાં, પુંઠ, પેટ પ્રમુખ સુખાદિકે કરી સહીત છે. વળી ઉલંઘવે, હાલવે, ચાલવે મર્દવાદિક ગુણે કરી સમર્થ છે. તાલ વૃક્ષની પરે લાંબા સરળ દઢ બાંહ છે જેની પુષ્ટ માંસ સહીત વૃતાકારે તેના ખંભા છે. ચછક દુધણ પુછીક સમાહત પુષ્ટ એવા તેના ગોત્ર છે. પોતાના શરીરને બળે કરી સહીત ઉછાતવંત, પિતાના કાર્યને વિષે અવિલંબે તે વિલંબ કરે નહિ. પિતાના કુળની વિદ્યાએ કરી યુક્ત કાર્યને વિષે ઉદ્યમવંત નિપુણ, વિજ્ઞાનવંત કારીગરીને વિષે નિપુણ એહ લોહકાર. એક મેટે લેહ (લોઢા) ને પીંડ પાણીના ઘડા જેવડો લીએ લઇને તેને અજ્ઞી મધ્યે પચાવે વારંવાર ઘણે કરીને ટીપે વારંવાર વળી તપાવે. વારંવાર તેહને ચુર્ણ કરે, વારંવાર એક અહોરાત્ર, (રાત દિવસ) બે અહોરાત્ર, ત્રણ અહોરાત્ર. એમ ઉત્કૃષ્ટ પનર અહોરાત્ર પર્યત તે લોહના ગેળાને ઘણે કરી ટીપે, ત્યારપછી તે લેહને ગોળ શીતળ થાય, ત્યારે તેને સાંડસે ઝાલીને. હવે અણુછતે ભાવે દ્રષ્ટાંત દેખાડે છે. તે ઉષ્ણ વેદનાવાળી નરક મધ્યે તે લોહનો ગાળો ઘાલે. ઘાલીને તે લોહકાર પુરૂષ મનમાં એમ ચીતવે જે હું એ ગેળે મેનમેખ પછી (નજરે જોતાં) નરક મએથી પાછો કાટીસ, એમ ચીતરીને પાછો કાઢવા વાછતાં તે ગોળાને ભાંજતો દેખે. તે ગળો માખણની પરે ગળતો દેખે. તે ગાળો ભસ્મ થાય પણ પાછો સાજો ગાળો કાઢવાને ઉદ્યમ કરી શકે નહીં, અથવા તે ગોળાને અણગળતો કે કાઢવા, અથવા તે ગોળાને ભમ થયા વિના પાછો કાઢી શકે નહીં. એહવી નરક મધ્યે ઉષ્ણવેદના છે. વળી એજ દ્રષ્ટાંત સ્પષ્ટપણે માટે બીજે દ્રષ્ટાંત દેખાડે છે તે યથા દ્રષ્ટાંત કોક મદવંત હાથી (બીજુ નામ દીપ તથા કુંજર) તે હાથી સાઠ વર્ષનો હોય તે પ્રથમ સરદ રૂતુ કાળ સમયે એટલે કાર્તિક માસે અથવા ચર્મ છેલી ગીમરૂતુ તે જેષ્ઠ માસ સમયે ઉષ્ણ સૂર્યાદિ કીરણે પોથકો, તૃષાએ પીડથકે, દવની અણી જ્વાળાએ પોકે, સુધાએ પીથોકે, આકળો થયોથકો, દુર્બળ કલામના પામ્યોકે, એક મોટી પુષ્કરણી વાવને દેખે. તે વાવ કેહવી છે, તે કે ચોખૂણે સુખે પ્રવેશ કરવા જેગ્ય છે, સમતીર છે. અનુક્રમે શુભ મનહર છે. તે વાવને વિષે સુજાત પ્રવેસ છે, ને ગંભીર સંતળ પાણી છે. વળી કમળને પન્ને ઢાંકી છે તથા પદ્મપત્ર તથા કમળનાળે કરી ઘણું ઉ૫લ તથા ચંદ્ર વિકાશી કમળ નલીન, સુભગનામા કમળ, સોગંધીદનામા કમળ, પુંડરીક કમળ, સે પાંખડીનાં કમળ, હજાર પાંખડીનાં કમળ ઇત્યાદિક તેના કેસર ને પુલ તેણે કરી શોભિત Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy