SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ પ્રમેયત્વ ગુણ હશે તેનું જ્ઞાન અનંત કેવળીઓના જ્ઞાનમાં આવ્યું છે અને પ્રત્યેક સમયે આવતું હોય છે. એટલે જ બધી બાબતો, ઘટનાઓ સુનિશ્ચિત છે. બાપરે બાપ ! તો પછી અમે વ્યર્થ જ મહેનત કરતાં આવ્યાં છીએ. જ્યારે જે થવાનું હશે તે થશે. તો પછી આપણે સ્વાધ્યાય કરવાની જરૂર નથી એવી છટકબારી-એવી સ્વચ્છંદતા કોઈ કરતું હશે તો તેના પરથી તે જીવની રૂચિ કયાં છે તે સિદ્ધ થાય છે. જેમને આત્માનુભવનીસમ્યગ્દર્શનની પર્યાય પ્રાપ્ત થાય તેની પૂર્વેની પર્યાયોપણ કેવળીઓના જ્ઞાનમાં આવેલી જ હોય છે. જિનેન્દ્રકથિત તત્ત્વોપદેશ સાંભળીને જ તત્વનિર્ણય-તત્વનિર્ણયપૂર્વક જ પુરૂષાર્થ, પુરૂષાર્થપૂર્વક જ આત્માનુભૂતિ-આત્માનુભૂતિપૂર્વક જ ચારિત્રદશા અને એવી મુનિદશાપૂર્વક જ મોક્ષ દશા. એવો પર્યાયોનો કમપણ તેમનાં જ્ઞાનમાં આવેલો છે. તેઓના જ્ઞાનમાં આવેલી આ વાતો દિવ્યધ્વનિ રૂપી વાણીમાં આવી, તે વાણી સાંભળી ગણધરોએ અને આચાયોએ તે પ્રમાણે અનુભવ કરી શાસ્ત્રોની રચના કરી અને આવી રીતે આ ઉપદેશ આજે આપણને પ્રાપ્ત થાય છે તે આપણું ભાગ્યે જ ગણાય. પ્રમેયત્વ ગુણનું સ્વરૂપ ધ્યાનમાં આવ્યા બાદ આપણને સમજાયું કે આપણે કરીએ છીએ તે બધી વાતો, બધાં કાય, બધાં વિચારો બીજા કોઈના જ્ઞાનમાં આવે અથવા ન આવે, કેવળીઓના જ્ઞાનમાં તો આવે જ છે. એક કેવળીના નહીં પણ બધાં અનંત કેવળીઓના. આવું જાણતા જ ચોરીનો ભાવ, મિલાવટ-ભેળસેળ કરવાનો ભાવ, જૂઠું બોલવાનો ભાવ, તીવ્ર પાપ કરવાનો ભાવ વિગેરે ભાવો તે જીવને નહીં થાય. જે વ્યક્તિ પ્રમેયત્વગુણનું સ્વરૂપ જાણે છે, કેવળીઓનું સ્વરૂપ જાણે છે, તે વ્યક્તિ અનંત કેવળીઓની સાક્ષીએ પાપ કરવા ધડાશે નહીં. સમાજમાં એવી કેટલીક વ્યક્તિઓ આપણે જોઈએ છીએ કે શાસ્ત્રોનો અભ્યાસ કરીને પણ અન્યાયથી અને અનીતિથી વર્તે છે, એમ કેમ ? એવો પ્રશ્ન ઘણાં મને પૂછે છે. તેનો જવાબ એ જ કે તેઓએ શાસ્ત્રોનો મર્મ જાણ્યો નથી, કેવળીઓનું સ્વરૂપ જાણ્યું નથી. આવી વ્યક્તિઓ જે અરહંત-સિદ્ધોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy