SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તેને પણ એક જ આશા હોય છે કે આ રોગનું નિદાન કોઈના તો જ્ઞાનમાં આવશે અને તે મને દવા આપી સાજો કરશે. પ્રમેયત્વ ગુણથી દ્રવ્ય કોઈ ને કોઈ જ્ઞાનમાં આવે છે એમ કહ્યાં પછી સહેજે પ્રશ્ન ઉઠે છે કે જ્ઞાનના પ્રકાર તે કેટલાં છે ? તેનો ઉત્તરજાણવાનું કાર્ય પર્યાયમાં થાય છે. તે પાંચ પ્રકારની જ્ઞાન પર્યાયો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કૈવલજ્ઞાન. તેમના વિસ્તારમાં ન જતાં ટુંકમાં કહીએ તો અરિહંત અને સિદ્ધો છોડી બધાં જીવોને મતિ અને શ્રુતજ્ઞાન હોય છે. દેશકાલના દ્રવ્યોની મર્યાદા સાથે એટલે કેટલાક ક્ષેત્રોમાં, કોઈ વિશિષ્ટ કાળપુરતા, રૂપી પદાર્થ વિષેનું જે જ્ઞાન તે અવધિજ્ઞાન. કેટલાક ભાવલિંગી મુનિઓને બીજાના મનમાંનાં રૂપી પદાર્થોવિષેના વિચારો જાણવાની શક્તિ હોય છે તેને મન:પર્યયજ્ઞાન કહેવામાં આવ્યું છે, અને કેવલજ્ઞાન એટલે બધાં અનંતાનંત દ્રવ્યો, તે પ્રત્યેક દ્રવ્યોનાં અનંત ગુણ અને તે પ્રત્યેક ગુણના ભૂત-વર્તમાન ભવિષ્યકાળની એવો અનંત પર્યાયો અને પ્રત્યેક પર્યાયના અનંત અવિભાગ પ્રતિચ્છેદોને એક જ સમયમાં યુગપત્ પ્રત્યક્ષ જાણનારૂં જ્ઞાન. જેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે તેમને ‘કૈવલી’ કહે છે ‘સર્વજ્ઞ’ કહે છે. અરિહંત અને સિદ્ધ સર્વજ્ઞ છે તે વિષે પત્ર ક્ર. ૧ અને ૨ માં આપણે ચર્ચા કરી હતી. એના પરથી સિદ્ધ થાય છે કે આ વિશ્વમાં એવી એક પણ બાબત નથી, એકપણ દ્રવ્ય, ગુણ પર્યાય નથી કે જે કેવલજ્ઞાનમાં જણાતી નથી. કેવલજ્ઞાનમાં બધી વાતો જાણવાની તાકાત છે, તેવી પ્રત્યેક દ્રવ્યમાં જ્ઞાનમાં ઝળકવાની તાકાત છે. ૮૨ પ્રમેયત્વગુણ જાણવાથી સર્વજ્ઞની સિદ્ધિ તો થાય જ પણ ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ પણ થાય છે. કેવલજ્ઞાનમાં બધાં દ્રવ્યો જણાય છે, ઝળકે છે; તેમના અનંત ગુણો પણ ઝળકે અને પ્રત્યેક ગુણોની અનંતકાળની પર્યાયોપણ તે જ્ઞાનમાં આવે છે. એનો અર્થ કઈ પર્યાય કયારે થશે, કઈ પર્યાય પછી કઈ પર્યાય થવાની છે, તે સમયે ઈતર દ્રવ્યોની અવસ્થાઓ કઈ હશે, કાળની અપેક્ષાએ કયો કાળ ચાલતો હશે, નિમિત્તરૂપે કયા દ્રવ્યો Jain Education International For Private & Personal Use Only 鑫 www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy