SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૫) કોઇક પ્રિય વ્યક્તિ કેમ મરી ગઈ ? સંપત્તિ હતી, હવે ગરીબી કેમ આવી ? કોઈને અપંગત્વ શા માટે ? આ ઘટના આમ જ કેમ બની? ઇત્યાદિ વિચારોનું ઘમસાણ મચે છે અને આપણે ચિંતિત થઇ જઈએ છીએ. દ્રવ્યત્વગુણને કારણે આ પરિણમન જે જે દ્રવ્યમાં થતું રહે છે એનું યોગ્ય કારણ સમજવાથી મનને શાંતિ મળે છે. હાલ જે અવસ્થા છે તે બદલી સમ્યક્ત્વ અવસ્થા પ્રાપ્ત કરવાની શક્તિ પ્રત્યેક જીવમાં છે. સમ્યક્દર્શનનું આ કાર્ય તે જીવ પોતે જ પોતામાં કરી શકે છે. અરહંતને કારણે, શાસ્ત્ર પઠન પાઠન કરી, યાત્રા-પૂજા કરી આ સમ્યક્દર્શનનું કાર્ય નહીં થાય પણ શ્રદ્ધા ગુણની મિથ્યાત્વ અવસ્થા બદલી શ્રદ્વગુણ પોતે જ સમ્યક્ત્વ અવસ્થારૂપ પરિણમશે. ૬ ) આવું બધું થવા માટે તત્ત્વનિર્ણયની નિતાંત તાલાવેલી હોવી જોઇએ. અને તેમાટે પત્રરૂપ સ્વાધ્યાય આપણો ચાલુ જ છે. આ પત્રોને પુસ્તકરૂપ કયારે આપશો એવો પ્રશ્ન ઘણાંએ મને પુછયો. તેમને પણ એ જ જવાબ છે. પુસ્તકરૂપે તેની અવસ્થા દ્રવ્યત્વ ગુણને કારણે જ થશે. તે જ્યારે થવાની હશે ત્યારે જ થશે. તેને જાણવું એટલું જ કાર્ય આપણે કરી શકીએ. આગળની ચર્ચા આગળના પત્રમાં. ૭૮ એ જ તમારી બા. સર્વ જીવો સત્ સુખોની શીઘ્ર ઈચ્છા કરે છે. તે સુખોની પ્રાપ્તિ બધા કર્મોના ક્ષયથી થાય છે. કમોનો ક્ષય સમ્યક્ચારિત્રથી થાય છે. સમ્યક્ચારિત્ર સમ્યજ્ઞાનથી નિશ્ચિત પ્રાપ્ત થાય છે. તે સમ્યજ્ઞાન આગમોથી થાય છે. આગમો શ્રી જિનવાણીના ઉપદેશોના આધારથી થાય છે. તે ઉપદેશ અરિહંત આપ્ત પુરૂષો પાસેથી પ્રાપ્ત થાય છે. તે આપ્ત પુરૂષ યથાર્થ છે કે જે રાગાદિ દોષરહિત છે. માટે હે સજ્જન પુરૂષો! ઉત્તમ રીતે સરખો વિચાર કરી સુખરૂપી લક્ષ્મીમાટે સાચા આપ્તપુરૂષનું એટલે કે અરિહંતનું સ્વરૂપ સરખી રીતે જાણી તેનું શરણ ગ્રહણ કરો. શ્રી ગુણભદ્રાચાર્ય - ‘આત્માનુશાસન’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy