SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય પત્રાંક ૧૨ દ્રવ્યત્વગુણ પ્રિય સૌ. રીના અને મોના, ઘણાં ઘણાં શુભાશીષ. Jain Education International ૭૨ જૈન સિદ્ધાંતોનો અભ્યાસ - જે પ્રત્યેક જીવને માટે પરમ હિતનો માર્ગ બતાવનારો છે - તે કેટલી રૂચિ, ઉત્સુકતા અને કેટલો ઉત્સાહ નિર્માણ કરે છે તેની પ્રતીતિ પુનામાં આવી. પર્યુષણપર્વમાં તમારા બાપૂના દરરોજ ત્રણ પ્રવચનો ડૉ. કિરણ શહા - સૌ. મુગ્ધા શહાએ આયોજીત કર્યા હતા. લઘુ જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા તે વખતે શિખવવાનો પ્રારંભ કર્યો. તે સમયે લોકોમાં એટલો રસ જામ્યો કે ફરી અષ્ટાન્શિકામાં (૧૦ થી ૧૭ નવેમ્બર) આઠ દિવસ દરરોજ પાંચ કલાક પ્રવચનનો કાર્યક્રમ રાખ્યો.- તમારા બાપૂજી ત્રણ કલાક અને હું બે કલાક પ્રવચન આપતાં. તે સમયે શ્રી વિજય દોશી, સૌ. મમતા દોશીએ શિબિર આયોજીત કરી હતી. ત્યારથી દરરોજ નિયમિત સ્વાધ્યાય તો ત્યાં ચાલુ છે. તે ઉપરાંત ૨૦ એપ્રિલથી દસ દિવસની એક વધુ શિબિર શ્રી. પ્રશાંત દોશી, સૌ. સ્મિતા દોશી ગોઠવે છે. તે વખતે દિવસમાં દરરોજ આઠ કલાક પ્રવચન થશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને મોટાં માણસો-સો-સવાસો જણ ઉત્સાહથી ભાગ લઈ રહ્યાં હતાં. તત્ત્વજ્ઞાનનો મહિમા જ એવો અપૂર્વ છે. બુદ્ધિમાન જીવોને તે તરત જ સમજાય છે. ૨૯ નવેમ્બર ૧૯૯૪ ગયાં બે પત્રોમાં આપણે અસ્તિત્વ તથા વસ્તુત્વ ગુણોનું સ્વરૂપ જોયું. બધાં દ્રવ્યોમાં જોવાં મળતાં સામાન્ય ગુણની ચર્ચા આપણે કરી રહ્યાં છીએ, તે પૈકી છ સામાન્ય ગુણોમાંનો દ્રવ્યત્વ ગુણ આપણે આજે જોઈશું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy