SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ દ્રવ્યત્વ ગુણ અસ્તિત્વ ગુણ એમ બતાવે છે કે પ્રત્યેક ગુણની સત્તા અનાદિ અનંત છે. વસ્તુત્વ ગુણ એમ કહે છે કે પ્રત્યેક દ્રવ્યનું કાર્ય એટલે કે પરિણમન તે તે દ્રવ્યમાં પોતાને કારણે જ થાય છે. દ્રવ્યત્વ ગુણ એ સિદ્ધ કરે છે કે પ્રત્યેક દ્રવ્યનું પરિણમન નિરંતર-સતત-અખંડપણે-અવિરત ચાલુ જ હોય છે. એક ક્ષણની પણ નિરાંત ન લેતાં પ્રત્યેક દ્રવ્ય પ્રત્યેક સમયે પોતાનું કાર્ય કરતું રહે છે. દ્રવ્યત્વ ગુણની વ્યાખ્યા આ પ્રમાણે - જે શક્તિને કારણે દ્રવ્યની અવે ! નિરંતર બદલાય છે તે શક્તિને દ્રવ્યત્વ ગુણ એમ કહે છે. દ્રવ્ય કાય રહે છે પરંતુ તેની અવસ્થા-પર્યાય નિરંતર બદલે છે. માટે ઉત્પાદ-વ્યય અખંડ પ્રવાહરૂપે ર ચાલુ જ રહે છે. પર્યાય એટલે કે અવસ્થા, એક સમય કરતાં અધિક મય ટકી જ શકતી નથી. પોતાની અવસ્થા નિરંતર બદલવાનો આ ગુણ પ્રત્યેક દ્રવ્યમાં ન હોત તો દ્રવ્ય “ફૂટસ્થ' બનવાનો પ્રસંગ ઉભો થાત. દ્રવ્ય છે તે જ સ્થિતિમાં કાયમ રહ્યું હોત, રોગી રોગી જ રહ્યો હોત નિરોગી ન થયો હોત, સંસાર અવસ્થાનો નાશ થઈ સિદ્ધ અવસ્થા થઈ ન હોત, બાળક નાનું જ રહ્યું હોત જુવાન થયું ન હોત. પરન્તુ વસ્તુનું એવું સ્વરૂપ નથી. દુધનું દહીં બન્યું - દ્રવ્યત્વ ગુણથી કાચી કેરી પાકી ગઈ - દ્રવ્યત્વ ગુણથી શિષ્યને જ્ઞાન મળ્યું - દ્રવ્યત્વ ગુણથી રોગી નિરોગી બન્યો - દ્રવ્યત્વ ગુણથી પ્રત્યેક દ્રવ્યનું, દ્રવ્યના પ્રત્યેક ગુણનું નિરંતર પરિણમન તેની પોતાની દ્રવ્યત્વ શક્તિથી થાય છે. પણ આપણે માત્ર આ કાર્યનો કર્તા કોઈ પરદ્રવ્ય છે એમ આજ સુધી માનતા આવ્યા છીએ. ગુરૂ પાસેથી જ્ઞાન મળ્યું, ડોકટર વડે દર્દી સારો થયો એમ કહીએ ત્યારે તે નિમિત્ત કથન છે. ઉપચારથી કહીએ છીએ. પરંતુ વસ્તુસ્થિતિ તેવી નથી, એ આપણે જાણવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy