SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય દીકરીઓ, ખરૂં કહું ? ભણતર ચાલુ હોય ત્યાં સુધી બુદ્ધિને મોટો પડકાર હોય છે. આપણે નિત્ય નવું ભણતા હોઈએ, આત્મસાત કરતા હોઈએ. વ્યવસાયમાં પડયા પછી બુદ્ધિમાં મંદતા આવે છે. થોડીઘણી બુદ્ધિ વપરાય છે. બાકીની બુદ્ધિ પૈસા અને અધિકાર વધારવામાં ખર્ચ થાય છે. તોપણ સમાધાન મળતું નથી. આગમ અને અધ્યાત્મનો આ વિષય ખરેખર બહુ રસભર છે. બુદ્ધિને તો પડકાર છે જ, માનસિક શાંતિ પણ વધે છે. આપણને આપણી આજુબાજુની બધી વસ્તુઓ શાસ્ત્રીય (તત્ત્વોના) દૃષ્ટિથી જોવાની ટેવ પડે છે. ૪૮ સોલાપુરનો ડૉ. મિલિંદ શાહ મને મળ્યો હતો. તેને પણ જૈન તત્ત્વોવિષે કુતુહલતા છે. તેથી આ લેખો પોતે વાંચી અન્યોને પણ વાંચવાનું સૂચવે છે એમ એણે કહ્યું. તે યોગ્ય પણ છે. જેને તત્ત્વનો મહિમા આવે તેને સહેજે આવા ભાવો આવે છે કે આ વાત વધુ અને વધુ લોકો જાણે ! એવું લાગતું ન હોય તો આપણે કાગડા કરતા પણ ઉતરતી કક્ષાના કહેવાઈએ. કાગડાને પણ કશુંક ખાવાનું મળે તે કા, કા, કરીને બીજા કાગડાઓને બોલાવે છે. ભેગા કરે છે અને પછી બધાં મળી ખાય છે. ચકલી કાગડાની વાર્તાઓ સાંભળવાની તમારી ઉમર વીતી ગઇ છે, તેથી પત્ર અહીંયા પૂરો કરૂં છું. શેષ શુભ Jain Education International For Private & Personal Use Only તમારી બા. www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy