SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ પત્રાંક ૮ પર્યાયનું સ્વરૂપ પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં શુભાશિષ, પત્ર રૂપે આપણે મહિનામાં એકવાર મળીએ જ છીએ. પણ તમે નિયમિત સ્વાધ્યાય તથા દેવદર્શન કરતા હશો. નિયમિત સ્વાધ્યાયની ટેવ પાડવાથી તેમાં રૂચિ વધશે, તેમાંનો મર્મ પણ સમજાશે. પર્યાયનું સ્વરૂપ ૨૦ મે ૧૯૯૪ અમે ૭૨ ની સાલમાં કુંભોજ બાહુબલી ફોટાના કામ માટે ગયાં હતાં, ત્યારે પૂ. સમંતભદ્ર મહારાજે સ્વાધ્યાયની પ્રેરણા આપી હતી. દવાખાનામાં ખાલી સમયમાં વાંચે તોપણ ચાલશે એમ તેઓએ સુચવ્યું હતું. તેના ફળસ્વરૂપે આજે ચિત્ર પલટાયું છે. ૪-૫ કલાક સ્વાધ્યાય, વાંચન, ચર્ચા, ચિંતન-મનન અને ફાજલ સમયમાં એકાદ કલાક દવાખાનાનું કામ. પણ તે એકાદ કલાકમાં તમારા બાપૂજી પણ જિજ્ઞાસુઓને ભણાવે – સામૂહિક સ્વાધ્યાય કરાવે છે. તેમનું ભાષાંતરનું કામ પણ બીજા ફાજલ સમયમાં ચાલુ જ રહે છે. પાછલાં કેટલાંક પત્રો દ્વારા આપણે વિશ્વ, દ્રવ્ય, ગુણનું સ્વરૂપ અને પ્રાથમિક જાણકારી મેળવી. દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપ વિષે ફરી ફરી શ્રવણ, વાંચન, મનન કરવું જોઈએ. માત્ર પ્રશ્ન અને ઉત્તર કે પરિભાષા મોઢે કરવાથી સ્વરૂપ ધ્યાનમાં આવતું નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ સમજ્યા વગર જૈન તત્ત્વજ્ઞાન જ સમજાશે નહીં. આજે આપણે પર્યાય વિષે થોડી જાણકારી લઈએ. Jain Education International પત્ર ક્ર. ૭ માં ગુણોની વ્યાખ્યામાં આપણે જોયું કે, “જે દ્રવ્યની સંપૂર્ણ અવસ્થામાં રહે છે તેને ગુણ કહે છે.' આ અવસ્થા એટલે પર્યાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy