SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણનું સ્વરૂપ વ્યાખ્યા - જે દ્રવ્યના (દ્રવ્ય) સંપૂર્ણ ભાગમાં (ક્ષેત્ર) અને તેની સંપૂર્ણ અવસ્થાઓમાં (કાળ) રહે છે તેને ગુણ (ભાવ) કહેવાય છે.” તે ઉપરથી એવો સિદ્ધાંત નક્કી થાય છે કે પ્રત્યેક દ્રવ્યના સ્વચતુષ્ટય અલગ અલગ છે એટલે કે પ્રત્યેક દ્રવ્યનું અસ્તિત્વ અલગ અલગ છે – સ્વતંત્ર છે. તેથી જીવ અનંતમાં વિલીન થાય છે' એ કલ્પનાનું નિરાકરણ થાય છે. સિદ્ધ અવસ્થામાં પણ પ્રત્યેક જીવદ્રવ્ય સ્વતંત્ર છે. પ્રત્યેકનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અલગ અલગ છે. એટલે મુકત થઈ જીવ પરમાત્મામાં વિલીન થાય છે તે કલ્પના ભૂલભરેલી છે. સાકરનો ડબો જુઓ. તે ડબાનું સ્વદ્રવ્ય ડબામાં, તેનું સ્વક્ષેત્ર ડબામાં, તેનો સ્વકાળ ડબામાં અને તેનો સ્વભાવ ડબામાં. તેમ જ સાકરનું દ્રવ્ય સાકરમાં, સાકરનું ક્ષેત્ર સાકરમાં, સાકરનો કાળ સાકરમાં અને સાકરનો ભાવ સાકરમાં. આજે તમને ગૃહપાઠ આપું છું. રોજ ૧૦-૧૦ વસ્તુના સ્વચતુષ્ટય ભિન્ન ભિન્ન છે તેનો દાખલો શોધી તે બોલવાના, દા.ત. કાગળ અને તેના ઉપરની શાહી (અક્ષરો). કાગળના ચતુષ્ટય ભિન્ન અને શાહીનું સ્વચતુષ્ટય ભિન્ન. આમ કરવાથી શો ફાયદો ? ફાયદો જ ફાયદો છે. જીવની કર્તુત્વબુદ્ધિના મુળીયા પર આ સીધો ઘા છે. આપણને થશે કે મે કેટલા સુંદર અક્ષરો લખ્યા છે. પણ જ્યારે તત્ત્વાભ્યાસની દષ્ટિથી તેના તરફ જોઈએ ત્યારે સમજાય કે કાગળનું સ્વચતુષ્ટય ભિન્ન, શાહીનું સ્વચતુષ્ટય ભિન્ન અને મારું (જીવદ્રવ્યનું) સ્વચતુષ્ટય ભિન્ન છે. દ્રવ્ય ગુણ પર્યાય અને તેઓનું સ્વરૂપ એ ઘણો સુંદર વિષય છે. બધા આગમો અને અધ્યાત્મનું રહસ્ય, તેનો ઉકેલ આ સિદ્ધાંતોમાં છે. નિશાળમાં ભૂમિતીના પ્રમેયો (Riders) અથવા કોયડા ઉકેલતા બુદ્ધિને જેવો ઉત્સાહ મળે છે તેવું જ અહીં છે. - સાહિત્યનો - કથા કાદંબરીના લખાણનો આસ્વાદ લેવો હોય તો પહેલા ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. તે પ્રમાણે અધ્યાત્મ એ અત્યંત રસથી ભરેલો વિષય છે. તેનો આસ્વાદ લેવો હોય તો પ્રથમ આ સીધા સરલ સિદ્ધાંતો શિખવા જોઈએ. એક એક સિદ્ધાંત પર આગળના સિદ્ધાંતો આધારીત છે, સિદ્ધ કરેલા હોય છે. Logically prove કરેલાં હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy