SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જીવોને પણ પ્રાપ્ત થાય. માટે ગયાં પંદર વર્ષ પર્યુષણ પર્વ નિમિત્તે મારે જ્યાં જ્યાં પ્રવચનાર્થે જવાનો પ્રસંગ આવ્યો ત્યાં ત્યાં જૈન સિદ્ધાંતોની ઓળખાણ થાય માટે ‘લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા' ના સહાયથી હું એને પર્યુષણ પર્વમાં એ વિષય એકસરખો લેતો આવ્યો. પ્રથમ શરૂઆતમાં થોડીક નાખુશી રહેતી પણ વિરોધ નહોતો અને એક બે દિવસોમાં જ શ્રોતાઓમાં વિષય જાણી લેવાની ખૂબ ઉત્કંઠા નિર્માણ થતી. તમે આ વિષય કેમ લખી કાઢતાં નથી, તેનું પુસ્તક કેમ લખતાં નથી ? એવો ઘણા આગ્રહ કરતાં. પણ મને તે આજ સુધી ફાવ્યું નહીં. પણ દૈવયોગ જુઓ, સૌ. ઉજ્જ્વલાને મનમાં શું ઊર્મિ જાગી ભગવાન જાણે, તેણે આ વિષય લઈ ‘શ્રાવિકા' માં પત્રરૂપે લેખ લખવાની શરૂઆત કરી, જેમ જેમ વિષય આગળ વધતો ગયો તેમ તેમ વાચકોનો પ્રતિસાદ પણ વધવાં લાગ્યો. ઘણાંએ, ‘તમે આનું પુસ્તક છાપો પ્રાથમિક જ્ઞાનવાળાને બહુ ઉપયોગી થશે' એવા પ્રકારની માગણીઓ અને સૂચનાઓ આપી. અને જે કામ મને ફાવ્યું નહીં, ફાવતું નહોતું, ફાવત પણ નહીં તે તેના હાથે સહેલાઈથી થઈ જતું જોઈ અમે પુસ્તક છાપવાનું મન પર લીધું. ઘણાંનો એવો મત છે કે ધર્મ પ્રાકટ ઉમરમાં પ્રૌઢ વયે કરવાનો વિષય છે. પણ ધર્મ એ એક વૈજ્ઞાનિક વિષય છે અને એટલો ન્યાયપૂર્ણ અને તર્કબદ્ધ છે, એટલો બધો સંપૂર્ણ ને પરિપૂર્ણ છે કે તે એક અભ્યાસનો વિષય પણ થઈ શકે છે તેની ઘણાં લોકોને જાણ નથી. વાસ્તવિક જીવનમાં આપણે અનેક વિવિધ અભ્યાસ કરવામાં આગળ-પાછળ જોતાં નથી. નાનું ૧૦/૧૨ વર્ષનું બાળક કોમ્પ્યુટર પર બેસે તો આપણને અચરજ થાય. પણ ૧૦/૧૨ વર્ષનું બાળક શાસ્ત્રાભ્યાસ કરે છે એમ જો કહીએ તો ઘણાંના નાકના નસકોરાં ફૂલી જાય છે, અને મોઢું ફુલાવી તેમના કપાળ પર આંટીઓ ચઢી જાય છે. વાસ્તવમાં વર્તમાન એક ભવનું કલ્યાણ કરવાં આપણે વિવિધ અભ્યાસ કરીએ તો અનેક ભવોનું કલ્યાણ કરવા તત્ત્વજ્ઞાનનો અને શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં શો વાંધો છે ? તે વિષય શું છે તે પ્રથમ જાણી લેવો, તેની જાણકારી મેળવી લેવી – પછી તેણે તે વિષયનો પોતાનો મત પાકો કરવો. પરંતુ તે વિષય ન સમજાતા જ, તેને વિષેની જાણકારી લીધા વગર જ તે વિષેનો પોતાનો અભિપ્રાય પાકો કરવો નહીં. તે વિષય = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy