SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય જાણ કરી લેવી. આપણે જાણી શકીએ અને માન્યતા ભૂલભરેલી હોય તો સુધારી શકીયે. સૌ પ્રથમ આટલું જ કરવાનું છે. - મોના થોડા સમયમાં લગ્ન કરી તું સાસરે જઈશ. શરૂઆતમાં નવી વહુને બધા કહે છે, અલી, રહેવા દે, કામ ન કર. તેમાં એક રહસ્ય છે. કામ ન કરી T.V. જેવા માટેની આ નવરાશ નથી, પણ ઘરના કામો કંઈ રીતે કરાય, સાસરાની રીત - રીતભાત, રિવાજ કેવાં છે તે ધ્યાનૂર્વક જોવાય શિખાય તે માટે આ Training Period છે. કામો તો કરવાનાં છે. આખી જીંદગી સુધી કરવાનાં છે. આગળની પેઢીને પણ શિખવવાનાં છે. તે માટે જ તેનું જ્ઞાન પહેલાં લેવું જોઈએ. તે પ્રમાણે જ આપણે ધર્મ પ્રકટ કરવાનો છે તો તે માટે તત્ત્વોનું જ્ઞાન પહેલાં કરી લેવાનું છે. ભૂલ ભરેલી માન્યતા તત્ત્વજ્ઞાનપૂર્વક ઠીક કરવાની છે. વિશ્વનું સ્વરૂપ આપણે અતિસંક્ષેપમાં જોયું. વધું આવતાં પત્રમાં. - એ જ તમારી બા. એક બાજુ સમ્યફદર્શનનો લાભ પ્રાપ્ત થતો હશે અને બીજી બાજુએ ત્રિલોકનું રાજ પ્રાપ્ત થતું હશે તો પણ ત્રિલોકના રાજની પ્રાપ્તિ કરતાં સમ્યફદર્શનનો લાભ શ્રેષ્ઠ છે. ત્રિલોકનું રાજ મળીને પણ વિશિષ્ટ નિશ્ચિત કાળે તે જવાનું જ છે અને સમ્યફદર્શનની પ્રાપ્તિ થાય તો અવિનાશી મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. માટે ત્રિલોકના લાભ કરતાં સમ્યકત્વનો લાભ શ્રેષ્ઠ છે. શ્રી શિવકોટી આચાર્ય-ભગવતી આરાધના ગાથા ૭૪૬-૭૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy