SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પત્રાંક ૬ દ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યનું સ્વરૂપ પ્રિય સૌ. રીના અને મોના ઘણાં ઘણાં શુભાશીષ, દીકરીઓ ! દ્રવ્ય, ગુણ, પર્યાય બધાં સિદ્ધાંતોનો પાયો છે. તે સમજ્યા વગર શાસ્ત્રોમાં પ્રવેશ જ કરી શકાતો નથી. સૌ પ્રથમ આપણે તેની જ જાણકારી મેળવવાની છે. તેનું રોજેરોજ વાંચન, અભ્યાસ કરવો જોઈએ. જેને દ્રવ્ય, ગુણ, પર્યાય સમજાયા તેને કોઈપણ શાસ્ત્ર વાંચી પોતાને યથાર્થ અર્થ કાઢતાં આવડશે. ૨૦ નવેંબર ૧૯૯૩ વિશ્વનું સ્વરૂપ સંક્ષેપમાં આપણે ગયા પત્રમાં જોયું. જ્યાં જીવાદિક બધાં દ્રવ્યો જોવામાં આવે તે લોક. ‘લોક’ ધાતુ (શબ્દ) જોવું-દેખાવું તે અર્થથી વાપરવામાં આવે છે. તે પરથી જ અવલોકન શબ્દ આવ્યો છે. Jain Education International આ બધાં દ્રવ્યો નિત્ય છે. જેટલાં છે તેટલાં જ છે. નવા ઉત્પન્ન પણ થતાં નથી અને જેટલાં છે તેઓનો નાશ પણ થતો નથી. એ દ્રવ્યોની ઉત્પત્તિ નથી, આદિ નથી, માટે જ તે અનાદિ છે અને તેમનો અંત પણ નથી. નાશ નથી - અંત નથી માટે જ તે અનંત છે. બધાં દ્રવ્યો અનાદિ અનંત હોવાથી તેમના સમૂહથી બનેલું આ વિશ્વ પણ અનાદિ અનંત છે. આ જાણવાથી આપણને મોટો ફાયદો થાય છે. આ જગતનો અંત થશે, પૃથ્વી અમુક કરોડ વર્ષો પછી નાશ પામશે વિગેરે વાતો સાંભળીએ એટલે આપણને બીક લાગ્યાં કરે છે. અરે, હું પણ મરી જઈશ, મારો નાશ થશે તેવી ચિંતામાં ઘણીવાર મોડી રાત્રી સુધી જાગતા રહીએ છીએ.વિશ્વનું સ્વરૂપ જાણ્યા પછી આ બધી ચિંતા મટી જાય છે. જુઓને, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy