SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૮ સર્વધર્મસમભાવ' નો સાચો અર્થ મને ગઈ પરમ દિવસે શાસ્ત્રસ્વાધ્યાય કરતા એક શાસ્ત્રમાં જડયો. આત્મામાં અનંતગુણ-અનંતધર્મ (શક્તિ) છે. એકાદ ધર્મને મુખ્ય ગણી વિચાર કરતાં રાગ ઉત્પન્ન થાય છે અને સર્વ ધમાં પ્રત્યે સમતાભાવ રાખી ભેદોનો પણ અભાવ કરી અનંત ધર્માત્મક એવા અભેદ પિંડ' પર દૃષ્ટિ કેન્દ્રિત કરતાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે. એ જ ખરો સર્વધર્મસમભાવ. ૩) મોકાર મંત્રમાં ણમો લોએ સવ્વ સાહૂણ' નો અર્થ જગતના બધા સાધુઓને નમસ્કાર' એવું જે કહેવામાં આવ્યું છે ત્યાં સાધુ એટલે દિગંબર જૈન મુનિ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ બધાને પણ ફકત સાધુ’ શબ્દોથી સંબોધ્યા છે. દા.ત. “સાહૂ લાગુત્તમા “સાહુ મંગલ' વિગેરે વિગેરે. સાદા ણમોકાર મંત્રની લીટીઓમાંથી અર્થનો અનર્થ કાઢી શકીએ તો શાસ્ત્રો વાંચી આપણે શું કરીશું? “શાસ્ત્રોનો અભ્યાસ કરવાની રીત’ વિષે આપણે આગળના પત્રમાં વિચાર કરીશું. કોઈ કહેશે કે તમે જોઈએ તેટલો સ્વાધ્યાય કરો, અમારા તરફથી બનશે એટલી મદદ અમે કરીશું. પણ અમને તેમાં ઘસડી જશો નહીં. એમ કહીશું તો કોઈ જ જ્ઞાન એક પેઢીથી બીજી પેઢીને મળશે નહીં આજે અઢીથી ત્રણ વર્ષના બાળકને નિશાળમાં દાખલ કરે છે, પ્રવેશ માટે કેટલાક વાલીઓ કેટલે ઠેકાણે વીસથી પચ્ચીસ હજાર રૂપિયાનું ડોનેશન પણ આપે અને પ્રવેશ મળ્યાં બાદ નિરાંત થઈ એમ માને છે. શરૂઆતમાં બાળકો રડારેડ કરી મુકે છે. તોપણ વાલીઓ બાળકોને શાંતીથી રડતાં મુકી પાછા ફરે છે. તેનું કારણ કે તેમને ખબર છે કે શિક્ષણ વગર છૂટકો જ નથી, માન પ્રતિષ્ઠા કંઈ જ નથી. તત્ત્વજ્ઞાનની જાણકારી, ગરજ અને મહાભ્ય અમને માતાપિતાને જ ન હોય તો તમને બાળકોને અમે શી રીતે આપશું? તેમાં વળી આજે ઘણાં બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે, અને તેઓ પણ આ તત્ત્વજ્ઞાનથી વંચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy